Published By : kajal Rana
આંધ્રપ્રદેશ
દેશમાં તમે કોઈ એવુ ગામ જોયુ કે જ્યા દરેક ઘરની ચોખટ પર કબર હોય. પરંતુ આ જ કિસ્સો આંધ્રપ્રદેશમાં અય્યા કોંડા નામનું એક ગામ છે. જ્યા ગયા પછી તમને એક વાર તો એવુ લાગશે કે હું કોઈ કબ્રસ્તાનમાં તો નથી આવી ગયો ને… પરંતુ હકીકતમાં આ આખુ ગામ કબરથી ઢંકાયેલુ છે. દરેક ઘરની આગળ તમને એકથી બે કબર જોવા મળશે. આ સાથે એવા અજીબ રિવાજ પણ જોવા મળ્યા છે અને લોકો તેનુ પાલન કરે છે.
અય્યા કોંડા કુરનૂલ જિલ્લાથી 66 કિલોમીટર દુર ગોનેગંદન મંડલની એક પહાડી એરિયામાં આવેલુ છે. ઘણા લોકો આ ગામને આઈકોડા પણ કહે છે. અહી માલા દાસરી સમુદાયના લોકો 200થી પરિવાર વસવાટ કરી રહ્યા છે. અહી કોઈ કબ્રસ્તાન નથી. આ ગામના પરિવારના કોઈ સભ્યનું અવસાન થાય એટલે આ લોકો તેના શબને ઘરની સામે દફન કરી દે છે. લગભગ 200 વર્ષથી દરેક પરિવાર આ રિવાજ અપનાવે છે. નવાઈની વાત તો એ છે કે અહી બાળકો અને મહિલાઓ આ કબરની આસપાસ ફર્યો કરે છે. આ લોકો બીજા ગામ કે અન્ય જાતિના લોકો સાથે લગ્ન પણ નથી કરતા તેમજ સંબંધ પણ નથી રાખતા. થોડા સમય પહેલા અન્ય લોકો ત્યા રહેવા માટે ગયા હતા પણ તેઓ કોઈ અલગ પ્રકારની બિમારીમાં ઝપેટમાં આવી ગયા અને એ પછી તેમને આ ગામ છોડીને જવુ પડ્યુ હતું.