Home Bharuch ભારતના કેમિકલ હબ ભરૂચમાં મિથેનોલનું ઉત્પાદન કે ઉપયોગ કરતી 350 કંપનીઓમાં તપાસનો...

ભારતના કેમિકલ હબ ભરૂચમાં મિથેનોલનું ઉત્પાદન કે ઉપયોગ કરતી 350 કંપનીઓમાં તપાસનો ધમધમાટ

0
  • એસ.ઓ.જીની 4 ટીમ બનાવી કંપનીઓમાં આકસ્મિક ચેકીંગ
  • તમામ કંપનીઓએ મિથેનોલનું સ્ટોક રજીસ્ટર નિભાવવા તાકીદ

ગુજરાતમાં લઠ્ઠાકાંડ બાદ ભારતના કેમિકલ હબ ભરૂચ જિલ્લામાં પણ પોલીસ હવે સક્રિય બની ગઈ છે. જિલ્લામાં મિથેનોલનું ઉત્પાદન કે ઉપયોગ કરતી 350 કંપનીઓમાં SOG ની 4 ટીમ બનાવી આકસ્મિક ચેકીંગ હાથ ધરાઈ રહ્યું છે.

બોટાદમાં લઠ્ઠાકાંડમાં 55 જેટલા લોકોના જીવનદીપ બુઝાવવા સાથે સમગ્ર ગુજરાતમાં ઘટનાને લઈ ચેકીંગ, દરોડા અને તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.ઔદ્યોગિક ભરૂચ જિલ્લો એ ભારતનું કેમિકલ હબ છે. મેથેનોલથી સર્જાયેલા લઠ્ઠાકાંડમાં હવે તંત્ર અને પોલીસ વધુ સક્ત બની છે. ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા, સાયખા, વિલાયત, દહેજમાં મિથેનોલનું ઉત્પાદન, ઉપયોગ અને વેચાણ કરતી 350 જેટલી કંપનીઓ આવેલી છે

ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની 4 ટીમો બનાવી મિથેનોલનો ઉપયોગ અને ઉત્પાદન કરતી આ 350 કંપનીઓમાં હવે આકસ્મિક ચેકીંગ હાથ ધર્યું છે. જેમાં કંપનીઓમાં મિથેનોલના સ્ટોકના રજીએટર5 ચેક કરવામાં આવી રહ્યા છે.તમામ કંપનીઓને તાકીદ કરી દેવાઈ છે કે મિથેનોલ કેમિકલના સ્ટોકની દેખરેખ માટે જવાબદાર અધિકારીને રાખે. સાથે પરિવહન ચેઇનમાં પણ તેની ચોરી, ઉચાપત, સગેવગે ન થાય તે જોવા કડક સૂચનાઓ જારી કરાઈ છે. કંપનીઓ ઉપર તપાસ માં SOG પી.આઈ. વી.બી. કોઠીયા, પી.એસ.આઇ. એમ.એન.રાઠોડ, એમ.આર. સકુરિયાની ટીમો જોડાઈ છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version