Published by : Rana Kajal
સરંક્ષણ મંત્રી રાજનાથ સિંહે ચીનના સમકક્ષ એવા ચીનના લિ. શેંગ ફુ ને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું કે જ્યાં સુધી સમજૂતી કરારોના તમામ મુદ્દાઓનું પાલન નહી થાય ત્યાં સુધી સરહદે શાંતિ નહીં સ્થપાય, અને જ્યાં સુધી સરહદે શાંતિ નહી સ્થપાય ત્યાં બન્ને દેશો વચ્ચે સંબંધો સામાન્ય નહી થાય… ભારતના મંત્રીઓ સીધી અને સ્પષ્ટ વાત કરવા ટેવાઈ ગયા છે. વિશ્વ સ્તરના સંગઠનોની યોજાતી બેઠકોમાં ભારતનાં મંત્રીઓ હવે સીધી વાત કરી રહ્યા છે જેમકે પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપતો દેશ છે તેવું સ્ટેટમેન્ટ વિદેશ મંત્રીએ કર્યુ હતું. જ્યારે હાલમાં સરક્ષ્ણ મંત્રી રાજનાથ સિંહે ચીનના લિ શેંગફુને જણાવ્યું હતું કે પૂર્વ લદાખમાં ચીને બે દેશો વચ્ચે થયેલ કરારોની શરતોનું પાલન ન કરતા સરહદ પર તંગદિલી સર્જાઇ હતી. વધુમા સંરક્ષણ મંત્રી રાજનાથે જણાવ્યું કે વાતચીત દરમીયાન થયેલ કરારોનુ પાલન કરો, સરહદે શાંતિ સ્થાપો તોજ બન્ને દેશો વચ્ચે સંબંધો સામાન્ય થઈ શકશે…