Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateભારતમાં એવું રેલ્વે સ્ટેશન જયાં થાય છે ફ્રી માં મુસાફરી..

ભારતમાં એવું રેલ્વે સ્ટેશન જયાં થાય છે ફ્રી માં મુસાફરી..

Published by : Vanshika Gor

ભારતીય રેલવે ને વિશ્વનું ચોથું સૌથી મોટું નેટવર્ક માનવામાં આવે છે. જો તમારે ભારત દેશના કોઈ પણ ભાગમાં મુસાફરી કરવાની હોય તો તમને ટ્રેનની સુવિધા સરળતાથી મળી જશે. આપણા દેશમાં ટ્રેનની મુસાફરી પણ ખૂબ જ અનુકૂળ છે અને પર્સનલ વાહનની તુલનામાં તે આર્થિક રીતે પણ ખૂબ જ પરવડે તેવી છે.

પરંતુ શું તમે ક્યારેય એવી ટ્રેન વિશે સાંભળ્યું છે કે જે તમને મફત મુસાફરી આપે. જી હાં, તમને જાણીને આશ્ચર્ય થશે કે ભારતીય રેલવે તંત્રમાં એક એવી ટ્રેન પણ છે, જેમાં લગભગ 75 વર્ષથી લોકો ફ્રીમાં મુસાફરી કરી રહ્યા છે. આ માટે તેમને કોઇ ભાડું આપવું પડતું નથી. તે ચોક્કસ રૂટ પર ચલાવવામાં આવે છે. તો ચાલો તમને જણાવીએ આ ટ્રેન વિશે.

ક્યાં ચાલે છે આ ટ્રેન?

આ ટ્રેનનું સંચાલન ભાખરા બાયસ મેનેજમેન્ટ બોર્ડ દ્વારા કરવામાં આવે છે અને તે પંજાબ અને હિમાચલ પ્રદેશની સરહદ પર ભાખરા અને નાંગલ વચ્ચે ચલાવવામાં આવે છે. ભાખરા-નાંગલ ડેમ સમગ્ર વિશ્વમાં ખૂબ જ લોકપ્રિય છે. આ ડેમ સૌથી ઊંચા સ્ટ્રેટ ગ્રેવિટી ડેમ તરીકે પ્રખ્યાત છે. જેને જોવા માટે દૂર દૂરથી પ્રવાસીઓ આવે છે. આ ટ્રેન સતલજ નદીમાંથી પસાર થાય છે અને શિવાલિક પહાડોમાંથી પસાર થઇને 13 કિલોમીટરનું અંતર કાપે છે. આ ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો પાસેથી કોઈ ભાડું લેવામાં આવતું નથી. ભાખરા-નાંગલ ડેમની મુલાકાતે આવતા તમામ પ્રવાસીઓ આ ટ્રેનની મફત મુસાફરીનો આનંદ માણે છે. આ ટ્રેનની શરૂઆત વર્ષ 1948માં કરવામાં આવી હતી. તેની ખાસિયત એ છે કે તેના કોચ લાકડાના બનેલા છે અને તેમાં ટીટીઈ પણ નથી. પહેલા આ ટ્રેન સ્ટીમ એન્જિનથી ચાલતી હતી, પરંતુ બાદમાં તે ડીઝલ એન્જિનથી દોડવા લાગી હતી.

વારસા તરીકે રાખવામાં આવી ટ્રેન


આ ટ્રેનમાં દરરોજ લગભગ 800 લોકો મુસાફરી કરે છે. મોટાભાગના વિદ્યાર્થીઓ તેની મુસાફરીનો આનંદ માણે છે. 2011માં બીબીએમબીએ આર્થિક નુકસાનને કારણે આ મફત સેવા બંધ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ બાદમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે આ ટ્રેનને આવકના સ્ત્રોત તરીકે નહીં, પરંતુ વારસા અને પરંપરા તરીકે જોવામાં આવે. આપને જણાવી દઇએ કે, ભાખડા-નાંગલ ડેમ બનાવતી વખતે રેલવે દ્વારા ઘણી મદદ લેવામાં આવી હતી. આ બંધનું નિર્માણ કાર્ય 1948માં શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે આ ટ્રેન દ્વારા શ્રમિકો અને મશીનોની હેરફેરનું કામ કરવામાં આવ્યું હતું. 1963માં આ ડેમને વિધિવત રીતે ખુલ્લો મુકવામાં આવ્યો હતો ત્યારથી લઈને અત્યાર સુધી અનેક પ્રવાસીઓ આ ટ્રેનની સફરનો આનંદ માણી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!