Home Election 2022 ભારતિય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી બાબતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમીત શાહનુ વર્ચસ્વ….

ભારતિય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી બાબતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમીત શાહનુ વર્ચસ્વ….

0

ગુજરાત વિધાન સભાની ચુંટણી અંગે ભાજપના ઉમેદવારોની જાહેરાતનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. વિધાનસભાની આ ચૂંટણીમાં ચર્ચાતી બાબતો અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉમેદવારોની પસંદગીથી માંડીને ભાજપની ચૂટણીમાં યશસ્વી જીત સુધીના દરેક તબક્કા અંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમીત શાહને જવાબદારી સોંપવામાં આવી છે. સાથે જ અમીત શાહને ખાસ સત્તાઓ પણ આપવામાં આવી છે. જેમાં ભાજપના ઉમેદવારોની પસંદગીની સત્તાનો પણ સમાવેશ થાય છે. હાલ મળતી માહિતી મુજબ અમીત શાહે ગુજરાત વિધાનસભાની તમામ ૧૮૨ બેઠકો માટે ઉમેદવારોની પેનલ તૈયાર કરી દીધી છે. અને હવે તેઓ દિલ્હી પહોંચી રહ્યા છે. જૉ કે આ માત્ર અને માત્ર ઔપચારિક કવાયત હોવાનુ ચર્ચાઈ રહ્યુ છે. વાસ્તવમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમીત શાહ દ્વારા નક્કી કરવામાં આવેલ ઉમેદવારો ફાઇનલ છે. અને આવનાર તા ૧૦ નવેમ્બર બાદ ગમે ત્યારે ભાજપના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવે તેવી સંભાવના જણાઈ રહી છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version