Published by : Rana Kajal
સમગ્ર રાજ્યમાં વાવાઝોડાના ભયની લાગણી ફેલાઇ ગઇ છે ત્યારે હાલના દિવસોમા રાજયના દરીયા કાંઠાના ગામોમાં પણ વાવાઝોડાનો ભય જણાઈ રહયો છે ત્યારે રાજ્યના જુદા વિસ્તારોમાં 50 કિલોમીટર પ્રતિ કલાક કરતા વધુ ઝડપે તોફાની પવન ફૂંકાય તેવી સંભાવના છે ત્યારે સરકાર દ્વારા લોકોને જાણકારી આપવા અંગે હેલ્પ લાઇન ની સગવડ કરવામા આવી છે. પરંતુ આવી હેલ્પ લાઇન ની સગવડ અંગે પણ રાજકારણ રમાઈ રહ્યું હોવાનો આક્ષેપ કરાઈ રહયો છે. એવો આક્ષેપ કરાઇ રહ્યો છે કે ભાજપના ધારાસભ્યો રાજ્ય સરકાર દ્વારા મુકવામાં હેલ્પ લાઈન કરતા ભારતીય જનતા પાર્ટી દ્વારા મુકવામાં આવેલ હેલ્પ લાઇન ની પ્રસિધ્ધિ વધુ કરતા હોવાનો આક્ષેપ કરાઈ રહયો છે. આમ હેલ્પ લાઈનની પ્રસિધ્ધિ અંગે પણ રાજકારણ ગરમાયું છે