Saturday, February 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateભારતીય રેલવે 1.5 લાખની ભરતી કરાશે...

ભારતીય રેલવે 1.5 લાખની ભરતી કરાશે…

ન્યુ દિલ્હી

ભારતીય રેલ્વે તંત્ર દ્વારા 1.5 લાખની ભરતી કરશે જૉકે હાલ કુલ 3 લાખ જગ્યા ખાલી હોવાનુ રેલ્વે તત્રે જણાવ્યુ હતું આગામી વર્ષ 2023ના એપ્રિલ સુધી ભરતી પૂર્ણ કરવામાં આવશે વધુ વિગતે જોતા ભારતીય રેલવે આગામી પાંચ મહિનાની અંદર એટલે કે એપ્રિલ 2023થી પહેલા સમગ્ર દેશમાં પ્રમોશન અને નવી નિમણૂકથી 3 લાખથી વધુ જગ્યાને ભરવા જઈ રહી છે. જેમાં 1.52 લાખ નવી ભરતીઓનો સમાવેશ થાય છે જે અંગે તૈયારી કરવા રેલવેએ દેશભરના બધા જ ઝોનમાંથી ખાલી જગ્યાઓની માહિતી માંગી હતી. ત્યારે આ બાદ બધા ઝોનના પ્રમોશન અને નિમણૂકની પ્રક્રિયા મિશન મોડમાં કરવા તથા આગામી 5 મહિનામાં પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી છે. રેલ્વે ભરતી માટે શારીરિક પરીક્ષણ, દસ્તાવેજોનું વેરિફિકેશન અને તબીબી પરીક્ષણ સહિત બધી પ્રક્રિયા આ સમયગાળામાં પૂર્ણ કરવાની છે. હાલમાં ભારતીય રેલવેમાં કાર્યરત 1 લાખ 48 હજાર અધિકારીઓ -કર્મીઓના પ્રમોશન નક્કી થઈ ગયા છે. રેલવે બોર્ડ માર્ચ-એપ્રિલ 2023 સુધી આ બધી જગ્યા પર પ્રમોશનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે એમ રેલવેના સૂત્રો એ જણાવ્યુ હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!