Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeInternationalભારતીય સંસ્કૃતિની ઝલક વિદેશમાં પણ…

ભારતીય સંસ્કૃતિની ઝલક વિદેશમાં પણ…

Published By:-Bhavika Sasiya

  • નીતા અંબાણીએ ફરી વધાર્યું દેશનું ગૌરવ…

વિશ્વના વિવિધ વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિની પ્રશંસા થઈ રહી છે ત્યારે તા 21જુલાઈ ના રોજથી ભારતીય સંસ્કૃતિની ઝલક આપતું પ્રદર્શન વિદેશમાં યોજાઈ રહ્યું છે રીલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીની મદદથી અમેરિકાનું પ્રતિષ્ઠિત મેટ મ્યુઝિયમ શુક્રવાર તા 21જુલાઈ થી ભારતીય ઇતિહાસ પર એક પ્રદર્શન શરૂ કરશે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ વતી જણાવવામાં આવ્યું હતું કે ‘ટ્રી એન્ડ સર્પન્ટ’ નામનું આ પ્રદર્શન 21 જુલાઈથી શરૂ થશે, જેમાં ભારતમાં પ્રારંભિક બૌદ્ધ કાળના શરૂઆતના વર્ષોથી લઈને 600 વર્ષની શાનદાર યાત્રા અહીં પ્રદર્શિત કરવામાં આવશે આ પ્રદર્શનમાં ઇ . સ.પહેલાના 200 વર્ષથી લઈને ઇ .સ પછીના 400 વર્ષ સુધીનો ભારતીય બૌદ્ધ ઈતિહાસ બતાવવામાં આવશે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સમર્થિત ‘ટ્રી એન્ડ સર્પન્ટ’ પ્રદર્શનનો એક વિશેષ પૂર્વાવલોકન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નીતા અંબાણી, યુ.એસ.માં ભારતના રાજદૂત તરણજીત સિંહ સંધુ અને ટ્રી એન્ડ સર્પન્ટના ક્યુરેટર જોન ગોયે સહિત કલા અને અન્ય ઘણા ક્ષેત્રોની પ્રતિષ્ઠિત હસ્તીઓએ હાજરી આપી હતી.આ અવસરે નીતા અંબાણીએ જણાવ્યુ હતુ કે”હું બુદ્ધની ભૂમિ, ભારતમાંથી આવું છું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને METની ભાગીદારીને આગળ વધારવા અને ‘ટ્રી એન્ડ સર્પન્ટ’ પ્રદર્શન રજૂ કરવા બદલ મને ગર્વ છે. આ પ્રદર્શનમાં પ્રારંભિક બૌદ્ધ કાળના 600 વર્ષના 125 થી વધુ કલાકૃતિઓ જોઈ શકાશે. બુદ્ધની વિચારસરણી અને ભારતીય સંસ્કૃતિ વચ્ચે ઊંડો સંબંધ છે. બુદ્ધના વિચારો આજ સુધી વિશ્વને પ્રભાવિત કરી રહ્યા છે. અમારો પ્રયાસ છે કે શ્રેષ્ઠ ભારતીય સંસ્કૃતિને વિશ્વ સમક્ષ લઈ જઈએ અને વિશ્વની શ્રેષ્ઠ વસ્તુઓ ભારતમાં લઈ જઈએ.” આ પ્રસંગે, તેમણે ‘બુદ્ધ શરણમ્ ગચ્છામિ’ ના પવિત્ર મંત્રનો જાપ કરવા દરેકને તેમની સાથે જોડાવા વિનંતી કરી.

મુકેશ અંબાણીની પત્ની નિતા અંબાણી પ્રતિષ્ઠિત ‘ધ મેટ’ મ્યુઝિયમની પ્રથમ ભારતીય ટ્રસ્ટી છે. વર્ષ 2019 માં, તેમને મેટના માનદ ટ્રસ્ટી બનાવવામાં આવ્યા હતા. ત્યારથી, તે વિવિધ કાર્યક્રમો દ્વારા ભારતની ભવ્ય કલા પરંપરાને વિશ્વ સમક્ષ રજૂ કરવાનું ચાલુ રાખે છે. ભલે તે શિકાગોની આર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં ‘ગેટ્સ ઑફ ધ લોર્ડઃ ધ ટ્રેડિશન ઑફ ક્રિષ્ના’ પેઇન્ટિંગ્સ જેવા પ્રોડક્શનને પ્રોત્સાહન આપવાનું હોય કે ‘ધ મેટ’ ખાતે ભારતીય કલા પ્રદર્શનોમાં મદદ કરી રહ્યું હોય. રિલાયન્સ આંતરરાષ્ટ્રીય સ્તરે વૈશ્વિક પ્રેક્ષકોને ભારતીય કલા અને સંસ્કૃતિનો પરિચય કરાવવા માટે પણ સતત પ્રયત્નો કરે છે. રિલાયન્સે તાજેતરમાં ભારતીય કલા અને સંસ્કૃતિને વધુ પ્રોત્સાહન આપવા માટે ‘નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર’ રાષ્ટ્રને સમર્પિત કર્યું છે. જેમાં રોજના પાંચથી છ હજાર મુલાકાતીઓ વિવિધ કળા અને કલાકારોના કૌશલ્ય નિહાળવા આવી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!