Published by : Rana Kajal
તુર્કેઈ અને સીરિયામાં આવેલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 21 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. ભૂકંપ બાદથી અત્યાર સુધીમાં અનેક હૃદયકંપી તસ્વીરો સામે આવી છે. ભારતે સામે આવી આ સ્થિતિની ગંભીરતાને ધ્યાને લઇ તરત જ પોતાની ફરજ નિભાવી હતી. ભારતે NDRF અને ભારતીય સેનાની ટીમને મેડિકલ હેલ્પ સાથે તુર્કેઈ મોકલી હતી. ભારતીય સેના અને NDRFના જવાનો તુર્કેઈમાં લોકોના જીવ બચાવવા માટે દિવસ-રાત કામ કરી રહ્યા છે. જેને ‘ઓપરેશન દોસ્ત’ નામ આપવામાં આવ્યું છે. જેને જોઈ દરેક ભારતીયને જવાનો પર ગર્વ થશે.
NDRF ટીમના જવાનો દ્વારા 6 વર્ષની બાળકીને કાટમાળમાંથી બચાવતી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આ વીડિયો ટ્વીટ કર્યો હતો. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, આપણી NDRFની ટીમ પર દેશને ગર્વ છે. તુર્કેઈમાં રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન ભારતીય જવાનોએ ગાઝિયાટેપ શહેરમાં છ વર્ષની બાળકી બેરેનનો જીવ બચાવ્યો હતો. પીએમ મોદીના માર્ગદર્શન હેઠળ, અમે NDRFને વિશ્વની સૌથી આગવી આપત્તિ પ્રતિભાવ દળ બનાવવા માટે સંકલ્પબદ્ધ છીએ.