Home News Update Nation Update ભારત દેશના ધનિકો હવે ખાનગી વિમાનો વસાવવા અંગેની લાગણી ધરાવી રહ્યાં છે

ભારત દેશના ધનિકો હવે ખાનગી વિમાનો વસાવવા અંગેની લાગણી ધરાવી રહ્યાં છે

0
  • ભારત દેશના ધનિકો હવે ખાનગી વીમાનો વસાવવા અંગેની લાગણી ધરાવી રહ્યાં છે

જૉકે કોરોના કાળમાં ખાનગી જેટની માંગ વધી હોવાનુ જણાયું છે.મોટી કાર અને મોટા ઘરનાં સપના હવે નાના દેખાવવા લાગ્યા છે. ભારતનાં ધનવાનો હવે ખાનગી વિમાનોમાં જ યાત્રા કરવાનુ પસંદ કરે છે. ખાનગી જેટની ખૂબ માંગ છે. અલબત્ત હવે તે પણ મોટા થઇ રહ્યા છે. વિમાનો એટલા મોટા છે કે ભારતનાં કોઇ પણ શહેરથી સીધા યુરોપ કે અમેરિકા સુધીની ઉડાન થઈ શકે છે. હાલમાંજ એક રિપોર્ટ મુજબ ભારતનાં કેટલાક બિઝનેસમેન લાંબા અંતર સુધી ઉડાન ભરી શકે તેવા ખાનગી વિમાનો પણ ખરીદે છે. જેમ જેમ સંપત્તિ વધી રહી છે તેમ તેમની ખાનગી જેટ ખરીદવાની ઇચ્છા પણ વધી રહી છે. કોરોના કાળમાં દેશનાં મોટા ઉદ્યોગપતિઓએ વિમાનોને પ્રાથમિકતા આપી હતી. કેટલાક નવા વિમાનો પણ ખરીદ્યા હતા. ત્યારબાદ હવે એવી ટેવ પડી ગઇ કે છોડી શકતા નથી. હવે તો આ લોકો જાહેર વિમાની સેવાનો ઉપયોગ કરવામાં ખચકાટ અનુભવે છે. મીડિયા મોગલ કહેવાતા સન ટીવીના માલિક કલાનિધિ મારન, અદાણી જૂથ, સીરમ ઇન્સ્ટિટ્યૂટનાં માલિક અદાર પૂનાવાલાએ હાલમાં જ ખાનગી વિમાન ખરીદ્યા છે. મારને 7700 નોટિકલ માઇલ સુધી પ્રવાસ કરી શકે તેવા બોમ્બાર્ડિયર ગ્લોબલ 7500 વિમાનની ખરીદી કરી છે. અદાણી જૂથ અને પૂનાવાલાના જેટ કે જે એક વખતમાં 6600 નોટિકલ માઇલ યાત્રા કરી શકે છે. યુરોપ-અમેરિકા સુધીની ઉડાન ભરી શકે તેવા જેટની કિંમત આશરે રૂ. 500 કરોડથી શરૂ થાય છે. અદાર પૂનાવાલા કહે છે કે જે લોકોનો વેપાર યુકે કે યુરોપનાં બીજા દેશોમાં ફેલાયેલો છે. તેમને ઓછામાં ઓછા 9 થી 10 કલાક સુધી ઉડાન ભરી શકે તેવા જેટની જરૂર છે. બિઝનેસ એવિએશન સોલ્યુશન્સ કંપની એજેએમ જેટ મેનેજમેન્ટના પ્રમુખ અતીશ મિશ્રા કહે છે કે ભારતનો વેપાર વૈશ્વિક બની રહ્યો છે. આ જ કારણ છે કે ભારતનાં અમીર મોટા ખાનગી વિમાનો ખરીદી રહ્યા છે જેથી આરામદાયક મુસાફરી કરી શકે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version