રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવતે હિંદુ અને મુસ્લિમ એકતાની ભાવના વધે તે માટે સંવાદ વધારવા માટે ખાસ અપીલ કરી હતી. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે દેશના ભાગલા પણ હિન્દુ અને મુસ્લિમ વચ્ચેના વિખવાદોના કારણે જ થયા હતા. આપણી એકતા કોઇની ઓળખ મીટાવીને બનતી નથી. સંઘના વડાએ આ નિવેદન પુર્વ સેવા અધિકારી મંચ દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં આપ્યુ હતુ. અત્રે નોંધવુ રહ્યું કે મોહન ભાગવતે હાલમાં જ મદ્રેસાની મુલાકાત લીધી હતી જે દરમિયાન ૩૦૦ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.
ભારત દેશમાં હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે એકતા માટે સતત સંવાદ વધારવા સંઘ પ્રમુખ મોહન ભાગવતની અપીલ…
RELATED ARTICLES