Home News Update My Gujarat ભારત વિશ્વ યોગગુરૂ…રશિયા-યુક્રેનના 14 નાગરિકો એક સાથે સોમનાથ-દ્વારકાની યાત્રાએ…

ભારત વિશ્વ યોગગુરૂ…રશિયા-યુક્રેનના 14 નાગરિકો એક સાથે સોમનાથ-દ્વારકાની યાત્રાએ…

0

Published by : Anu Shukla

રશિયા અને યુક્રેન વચ્ચે ભયાનક યુધ્ધ લાબા સમયથી ચાલી રહ્યું છે ત્યારે આ બન્ને દેશના પ્રવાસીઓ ઍક સાથે ભારત દેશમા આવ્યા છે. જે ભારતનું ગૌરવ કહી શકાય…

દુનિયાભરમાં રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધે વિશ્વના આર્થિક સમીકરણો બદલી નાંખ્યા છે. આ દરમ્યાન ભારતીય યોગ પદ્ધતિ બંને દેશોનાં નાગરિકોને એકસાથે જોડતી કડી બની છે. બંને દેશોના કુલ 14 નાગરિકો મળી ભારતની યાત્રાએ આવ્યા છે. તેઓએ સોમનાથ મહાદેવ મંદિરનાં દર્શન કરી 3 કલાક મંદિરમાં વિતાવ્યા હતા. તેઓ હવે દ્વારકા જનાર હોવાનું પણ જાણવા મળ્યું છે વેરાવળ-પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર ચેતન ડોડિયાએ જણાવ્યું હતું કે રશિયાની એલેના નામની મહિલાની આગેવાનીમાં 8 રશિયન અને 6 યુક્રેનિયન નાગરિકો ભારતની યાત્રાએ આવ્યા છે. આ ગૃપનાં બધાજ સભ્યો ભારતીય યોગશાસ્ત્રથી ખુબજ પ્રભાવિત છે.

તેઓ કોઇ યોગગુરૂ કે અન્યના અનુયાયી નથી પણ પોતાની રીતે જ પોતાના દેશમાં ભારતીય યોગની સાધના કરે છે. તેઓ અવારનવાર ભારતની યાત્રાએ પણ આવતા રહે છે. તેઓ મહાશિવરાત્રિને લઇ સોમનાથ મહાદેવનાં દર્શને આવ્યા છે. હવે આ ગૃપ દ્વારકા પણ જશે તેમ જાણવા મળ્યું છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version