Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeSportsભારત સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે 10 વિકેટથી હાર્યું , રવિવારે ઇંગ્લેન્ડ-પાકિસ્તાન ફાઇનલ

ભારત સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે 10 વિકેટથી હાર્યું , રવિવારે ઇંગ્લેન્ડ-પાકિસ્તાન ફાઇનલ

Published by : Rana Kajal

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022ની બીજી સેમિફાઇનલ મેચ રમાઇ હતી જેમાં ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઈન્ડિયાને એડિલેડમાં પહેલા બેટિંગ કરવાનો મોકો મળ્યો હતો. એડિલેડનો એવો પણ ઈતિહાસ છે કે પ્રથમ બેટિંગ કરનારી ટીમે અહીં વધુ મેચ જીતી છે. આવી સ્થિતિમાં બટલરનો આ નિર્ણય ચોંકાવનારો હતો.સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડે ભારતને 10 વિકેટે હરાવ્યું હતું. તેણે 169 રનનો ટાર્ગેટ કોઈપણ વિકેટ ગુમાવ્યા વિના હાંસલ કરી લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 6 વિકેટે 168 રન બનાવ્યા હતા.  ઈંગ્લેન્ડની ટીમે 16 ઓવરમાં કોઈપણ નુકશાન વિના 170 રન બનાવ્યા હતા.ઈંગ્લેન્ડ તરફથી એલેક્સ હેલ્સે 47 બોલમાં અણનમ 86 રન બનાવ્યા હતા. કેપ્ટન જોસ બટલરે 49 બોલમાં 80 રન બનાવ્યા હતા. ભારતના છ બોલરોમાંથી ચાર બોલરોએ 10થી વધુના ઇકોનોમી રેટથી રન આપ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!