Saturday, April 19, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeFestivalમકર સંક્રાંતિનું જ્યોતિષ દ્રષ્ટિએ મહત્વ...

મકર સંક્રાંતિનું જ્યોતિષ દ્રષ્ટિએ મહત્વ…

published by : Anu Shukla

મકર સંક્રાંતિનું ધાર્મિક મહત્ત્વ કોઈને કોઈ રીતે તેના જ્યોતિષીય મહત્ત્વ સાથે જોડાયેલું જ છે. માન્યતા પ્રમાણે મકર સંક્રાંતિનો તહેવાર ઋષિઓ અને યોગીઓ માટે તેમની આધ્યાત્મિક યાત્રામાં એક નવી શરૂઆત માટે સૌથી મહત્ત્વપૂર્ણ દિવસ માનવામાં આવે છે. સામાન્ય રીતે લોકો મકર સંક્રાંતિને નવા સમયની શરૂઆત અને ભૂતકાળની ખરાબ અને ભયાનક યાદને પાછળ છોડવાનો દિવસ પણ માને છે. આ દિવસનું એક અન્ય મહત્ત્વ પણ છે. આ શુભ દિવસે સૂર્ય દક્ષિણાયનથી ઉત્તરાયણ થઈ જાય છે. સૂર્યની આ સ્થિતિ ખૂબ જ શુભ હોય છે. ધાર્મિક દૃષ્ટિએ આ દિવસે સૂર્ય પોતાના પુત્ર શનિદેવ સાથે બધા મુદ્દાને છોડીને તેમને તેમના ઘરમાં મળવા આવે છે. એટલે મકર સંક્રાંતિનો દિવસ સુખ અને સમૃદ્ધિ સાથે જોડાયેલો છે. મકર સંક્રાંતિ 2023 વધારે ખાસ અને શક્તિશાળી છે કેમ કે આ મકર સંક્રાંતિને અભૂતપૂર્વ રીતે એક કે બે નહીં પરંતુ ત્રણ ગ્રહ (સૂર્ય, શનિ અને બુધ) આગામી મહિનાઓમાં મકર રાશિમાં એકસાથે રહેશે. જ્યોતિષમાં આ ઘટનાને સ્ટેલિયમ તરીકે ઓળખવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!