published by : Anu Shukla
મકર સંક્રાંતિનું ધાર્મિક મહત્ત્વ કોઈને કોઈ રીતે તેના જ્યોતિષીય મહત્ત્વ સાથે જોડાયેલું જ છે. માન્યતા પ્રમાણે મકર સંક્રાંતિનો તહેવાર ઋષિઓ અને યોગીઓ માટે તેમની આધ્યાત્મિક યાત્રામાં એક નવી શરૂઆત માટે સૌથી મહત્ત્વપૂર્ણ દિવસ માનવામાં આવે છે. સામાન્ય રીતે લોકો મકર સંક્રાંતિને નવા સમયની શરૂઆત અને ભૂતકાળની ખરાબ અને ભયાનક યાદને પાછળ છોડવાનો દિવસ પણ માને છે. આ દિવસનું એક અન્ય મહત્ત્વ પણ છે. આ શુભ દિવસે સૂર્ય દક્ષિણાયનથી ઉત્તરાયણ થઈ જાય છે. સૂર્યની આ સ્થિતિ ખૂબ જ શુભ હોય છે. ધાર્મિક દૃષ્ટિએ આ દિવસે સૂર્ય પોતાના પુત્ર શનિદેવ સાથે બધા મુદ્દાને છોડીને તેમને તેમના ઘરમાં મળવા આવે છે. એટલે મકર સંક્રાંતિનો દિવસ સુખ અને સમૃદ્ધિ સાથે જોડાયેલો છે. મકર સંક્રાંતિ 2023 વધારે ખાસ અને શક્તિશાળી છે કેમ કે આ મકર સંક્રાંતિને અભૂતપૂર્વ રીતે એક કે બે નહીં પરંતુ ત્રણ ગ્રહ (સૂર્ય, શનિ અને બુધ) આગામી મહિનાઓમાં મકર રાશિમાં એકસાથે રહેશે. જ્યોતિષમાં આ ઘટનાને સ્ટેલિયમ તરીકે ઓળખવામાં આવે છે.