Published by : Rana Kajal
- ભરૂચ MG રોડ ઉપર 1530 મીટર લાંબા ટ્રાયએન્ગ્યુલર ફ્લાયઓવરની કામગીરીનો ધમધમાટ
- 700 મીટરનો મુખ્ય માર્ગ બંધ થતાં વાહનચાલકોએ ફરવો પડશે 5 થી 7 કિમીનો ફેરાવો
- ભરૂચમાં નર્મદા નદી ઉપર 9 મેજર બ્રિજ સાથે 5 ફ્લાયઓવર આગામી સમયમાં કાર્યરત થશે
- દહેગામ અને દહેજ તરફથી આવતા અને ભરૂચ રેલ્વે સ્ટેશન જનારા લોકો માટે અનૂકુળતા રહેશે
- સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં રૂપાણી સરકારે શહેરનો વધુ એક ઓવરબ્રિજ મંજુર કર્યો હતો
- મહંમદપુરા ફ્લાયઓવરને નિર્માણ પેહલા જ મોંઘવારી નડી ખર્ચમાં કરાયો હતો ₹ 20.89 કરોડનો વધારો
ભરૂચ શહેરની વધતી ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે સરકારે મહાત્મા ગાંધી MG રોડ ઉપર સેન્ટઝેવીયર્સ સ્કૂલથી મહંમદપુરા સર્કલ સુધી પહેલો ટ્રાયએન્ગલ (ત્રિપાંખ્યો) 1530 મીટર લાંબો અને 8.40 મીટર પોહળો ફ્લાયઓવર ₹41 કરોડના ખર્ચે મંજુર કર્યો હતો.
ભરૂચ નગરમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલથી મહમંદપૂરા સર્કલ ફલાય ઓવરબ્રીજના કામ માટે ₹41 કરોડ મંજૂર કર્યા હતા. જોકે 2 વર્ષમાં ફલાયઓવરની શરૂઆત પેહલા જ કિંમત 20 કરોડ વધારી ખર્ચ ₹61.89 કરોડ કરાયો છે. આ ફલાય ઓવર 1530 મીટર લંબાઇ અને 8.40 મીટર પહોળાઇ ધરાવતો હશે. ભરૂચમાં આ ફલાય ઓવરબ્રીજ બનવાથી દહેગામ અને દહેજ તરફથી આવતા અને ભરૂચ રેલ્વે સ્ટેશન જનારા લોકો માટે અનૂકુળતા રહેશે.
આ બ્રીજની ડિઝાઇન ત્રી-પાંખીયા ટ્રાયેન્ગ્યુલર હોવાથી તાંત્રિક અને ભૌગોલિક દ્રષ્ટિએ ભરૂચ નગર પાલિકાના અગત્યના તમામ વિસ્તારો આ બ્રીજની કામગીરીથી આવરી લેવાશે.
ભરૂચ ડિસ્ટ્રીકટ મેજિસ્ટ્રેટ તુષાર સુમેરા દ્વારા બ્રિજ નિર્માણની કામગીરીને લઈ 14 મે 2025 સુધી આ માર્ગ વાહન વ્યવહાર માટે બંધનું જાહેરનામું બહાર પડાયું છે. મધ્ય થી પશ્ચિમ ભરૂચને જોડતો અને શહેરની ચારેય દિશામાં જવા આવવાનો માર્ગ 24 મહિના માટે બંધ થતાં તેના વિકલ્પ રૂપે 7 રૂટ ડાયવર્ઝનના નક્કી કરાયા છે.
જોકે બે વર્ષમાં મોંઘવારી આ બ્રિજને પણ નિર્માણ પહેલા જ નડી ગઈ છે અને તેની અંદાજીત કિંમત 41 થી ₹ 61.89 કરોડ કરી દેવાઈ છે.