Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeDEVELOPMENTમધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં આવેલ ૮ ચિત્તાના નામકારણ, મોદીએ એમના વ્હાલા ચિત્તાનું...

મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં આવેલ ૮ ચિત્તાના નામકારણ, મોદીએ એમના વ્હાલા ચિત્તાનું નામ આપ્યું આશા…

મધ્યપ્રદેશના શ્યોપુરના કુનો નેશનલ પાર્કમાં આફ્રિકન દેશ નામિબિયાથી ૧૭ સપ્ટેમ્બરે 8 ચિત્તા લાવવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એન્ક્લોઝરનો ગેટ ખોલીને ચિત્તાઓને જંગલમાં છોડ્યા હતા. પ્રથમ દિવસે ચિત્તાઓને નવા વાતાવરણમાં ગભરામણની સ્થિતિમાં લાગતા હતા. પરંતુ જો કે તેઓનું વર્તન સામાન્ય અને સકારાત્મક લાગતું હતું. આઠ ચિત્તાના નામ સામે આવ્યા છે. જે અનુક્રમે ઓબાન, ફ્રેડી, સવાનાહ, આશા, સિબલી, સાયસા અને સાશા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક વ્હાલા માદા ચિત્તાને ‘આશા’ નામ આપવામાં આવ્યું છે. જો કે અન્ય સાતેય ચિત્તાના નામ નામિબિયામાં આપવામા આવ્યા હતા.

ચિત્તા માટે એક વિશેષ એન્ક્લોઝર બનાવવામાં આવ્યું છે. જેમાં તેમને ખોરાક માટે માંસ આપવામાં આવે છે. ચિત્તા એન્ક્લોઝરમાં ફરી રહ્યા છે અને જે સામાન્ય છે. તમામ 8 ચિત્તા તેમાં આરામથી સૂઈ રહ્યા છે અને આસપાસ ફરી રહ્યા છે. હાલ તો ચિત્તાઓ માટે જે વ્યવસ્થા કરવામાં આવી છે તેનાથી તેઓ સંપૂર્ણપણે સંતુષ્ટ લાગી રહ્યું છે.

જંગલમાં ઝડપનો રાજા ગણાતા ચિત્તાને ભારત લાવવા માટે નામ્બિયાની સરકાર સાથે કરાર કરવામાં આવ્યા હતા. આ અંતર્ગત 70 વર્ષ બાદ ભારતમાં ફરી એકવાર ચિત્તા જોવા મળશે. 70 વર્ષ પહેલા ભારતમાંથી ચિત્તાને વિલુપ્ત જાહેર કરવામાં આવ્યા હતા. અને ત્યારથી ભારતમાં ચિત્તા જોવા મળ્યા ન હતા. પરંતુ હવે ભારતના લોકો એજ રફતારથી ભાગતા ચિત્તાઓને નિહાળી શકશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!