- 5 પુરૂષો, 4 મહિલાઓ અને બે બાળકોના ઘટનાસ્થળે જ મોત
મળતી વિગતો અનુસાર, કારમાં સવાર તમામ લોકો અમરાવતીથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન બેતુલ પરતવાડા રોડ પર આવેલા ઝાલર ગામ પાસે રાત્રિના 2 કલાકે કારના ડ્રાઈવરે નિદ્રાધીન થઈને કાર પરનો કાબુ ગુમાવી દીધો હતો. બેતુલ પરતવાડા રોડ પર બસ નંબર MP 48 P 0193 અને ટવેરા કાર વચ્ચે ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારના ફુરચા ઉડી ગયા હતા. આ દર્દનાક અકસ્માતમાં 5 પુરૂષો, 4 મહિલાઓ અને બે બાળકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. માહિતી મળતાં જ બેતુલ કલેક્ટર અને એસપી સહિત અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

બેતુલના પોલીસ અધિક્ષક સિમાલા પ્રસાદે જણાવ્યું કે ઝાલર વિસ્તાર પાસે બસ નંબર MP 48 P 0193 અને ટવેરા કાર વચ્ચે ટક્કર થઈ હતી. કારમાં સવાર તમામ લોકો મજૂર છે, તે બધા મહારાષ્ટ્રના કલમ્બાથી પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા.




