Friday, July 25, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBOLLYWOODમહાકાલના દર્શને પહોંચેલા બ્રહ્માસ્ત્રના સ્ટાર કાસ્ટનો વિરોધ નોંધાવી હંગામો...

મહાકાલના દર્શને પહોંચેલા બ્રહ્માસ્ત્રના સ્ટાર કાસ્ટનો વિરોધ નોંધાવી હંગામો…

બહૂચર્ચિત ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના સ્ટાર કાસ્ટ અને બોલીવૂડના ક્યૂટ કપલ આલિયા ભટ્ટ અને રણબીર હાલ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત દેખાઇ રહ્યું છે. આ વચ્ચે કપલ અને તેમની સાથે નિર્દેશક અયાન મુખર્જી ઉજ્જેનના મહાકાલેશ્વર મંદિરમાં પ્રસિદ્ધ જ્યોતિર્લિંગના દર્શન કરવાનો કાર્યક્રમ હતો. તેમના આગમન પહેલા જ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં, દક્ષિણપંથી જૂથો વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળના સભ્યોએ ભારે હંગામો કર્યો હતો. 

અભિનેતા રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને અયાન મુખર્જી મંદિરમાં દર્શન કરવા પહોંચે તે પહેલાં જ કાર્યકર્તા મુખ્ય દ્વાર પર અને VVIP માટે બનેલા શંખ દ્વાર પર કાળા ધ્વજ બતાવવા માટે એકઠા થયા હતા. આટલું જ નહીં આ ભીડને કાબૂમાં કરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. આ બાબતે ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું કે, અભિનેતા કે અન્યને મંદિરમાં દર્શન કરવા જવાથી કોઇએ રોક્યા નથી, તેમણે પોતે જ ત્યાં ન જવાનો નિર્ણય લીધો છે.

મુંબઈ, ચેન્નાઈ અને હૈદરાબાદમાં ફિલ્મના પ્રમોશન પછી, બ્રહ્માસ્ત્રના મુખ્ય કલાકારો, નિર્દેશક અયાન મુખર્જીની સાથે, મહાકાલેશ્વર મંદિરના દર્શન કરવા ઉજ્જૈન ગયા હતા.આલિયા ભટ્ટ ગર્ભવતી હોવાથી આ હંગામા વચ્ચે મંદિરમાં ન જવાનું તેમણે નક્કી કર્યું. આલિયા ભટ્ટ અને રણબીર કપૂર મંદિરમાં દર્શન વગર જ ઈન્દોર પરત ફર્યા હતા. ઉજ્જૈનના કલેક્ટર આશિષ સિંહે કહ્યું કે, તેઓ ઈન્દોરથી મુંબઈ માટે ફ્લાઈટ લેશે. સિંઘે કહ્યું કે પરિસ્થિતિ કાબૂમાં આવ્યા બાદ માત્ર અયાન મુખર્જી જ મંદિરમાં દર્શન માટે ગયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!