- જોકે આ અંગેનો મામલો કોર્ટમાં છે અને ઘર હજુ મહાકાલ મંદિરની સામે ઊભું છે
હાલમાંજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉજ્જૈનમાં મહાકાલ લોક ફેઝ-1નું ઉદ્ઘાટન કર્યું હતું, પરંતુ ફેઝ-2માં સરકારી અધિકારીઓ ખુબ મૂંઝવણમાં મુકાઈ ગયા છે. એક એવા ઘરની સમસ્યા ઉભી થઇ છે જેના કારણે તમામ કામો લગભગ અટકી ગયા છે એમ કહી શકાય કે ઍક ઘર અથવા તો મકાને મહાકાલના મુખ્ય દ્વારને રોકી રાખ્યો છે.આ અંગેનો મામલો કોર્ટમાં છે અને ઘર હજુ પણ મહાકાલ મંદિરની સામે ઉભું છે. જેના કારણે મહાકાલ લોક ફેઝ-2ના કામમાં ખુબ વિલંબ થઈ શકે છે જો આ ઘર બાબતનો વિવાદ વહેલી તકે ઉકેલવામાં નહીં આવે કેવી સ્થિતિ થઈ શકે છે.તે જોતાં આ ઘર કે મકાન પરચુરે પરિવારનું છે. તે લંબાઈ અને પહોળાઈ ઉમેરીને લગભગ 1500 ચોરસ ફૂટમાં બનેલ છે. હાલમાં કુલ 11 ભવન બનાવાયેલા છે. તેમાંથી વહીવટીતંત્ર દ્વારા મહાકાલ લોક અને પ્રવેશદ્વાર માટે 10 ઘરો દૂર કરવામાં આવ્યા છે. આ એક માત્ર ઘર બાકીરહ્યુ છે. જુલાઈ 2021માં ઉજ્જૈનના કલેક્ટર આશિષ સિંહે આ ઘરોનું અધિગ્રહણ કરીને તેને દૂર કરવાનો આદેશ કર્યો હતો. સરકારી ટીમે મકાનમાલિકોને કલમ 11 હેઠળ નોટિસો મોકલી અને તેમને મકાન ખાલી કરવા જણાવ્યુ હતુ. મકાનના માલિકોના બેંક ખાતાઓમાં સરકારી સ્તરે વળતરની રકમ પણ ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. રુપિયા મળતાની સાથે જ 11માંથી 10 મકાનમાલિકોએ પોતાના મકાન ખાલી કરી દીધા હતા પરંતુ મહાકાલેશ્વર મંદિરની સામે 168 નંબરના મકાનમાં રહેતા શેખર ગણેશ પરચુરેના પરિવારે વળતરની રકમ સરકારને પરત કરી દીધી હતી અને મકાન ખાલી કરવાનો ઇનકાર કર્યો હતો. આનાથી અધિકારીઓ આશ્ચર્યચકિત થઈ
દોડતા થઈ ગયા હતા અને ઉજ્જૈનથી લઈને ભોપાલ સુધીના અધિકારીઓ હેરાન પરેશાન થઈ ગયા હતા તા 24 નવેમ્બર 2021ના રોજ પરચુરે ફેમિલી કોર્ટ રાહે કામગીરી કરતા. અને એમ જણાવતાં કે જમીન સંપાદનની પ્રક્રિયા પહેલા, પુનર્વસન, સામાજિક અસર વગેરેના મુદ્દાઓની અવગણના કરવામાં આવી હતી. આમ મહાકાલના વિકાસના કામો સામે હાલ તુરત અલ્પ વિરામ મુકાયો હોય તેવી સંભાવના જણાઈ રહી છે.