Published By:-Bhavika Sasiya
- દુનિયાના ઘણાં એવા સફળ મહાનુભાવો છે જેમણે ગીતા અને મહાભારત જેવા દિશાસૂચક ગ્રંથો પરથી પ્રેરણા લઈ સફળતા મેળવી છે.
આઈટી ક્ષેત્રની કંપની ઈન્ફોસિસના સહ-સ્થાપક એનઆર નારાયણ મુર્તિ ખુબજ સાદું જીવન જીવે છે નારાયણ મૂર્તિ બ્રિટનના ભારતીય મૂળના વડાપ્રધાન ઋષિ સુનકના સસરા છે. સફળ વ્યક્તિ એવાં નારાયણ મૂર્તિએ માત્ર 10,000 ઉધાર લઈને ઈન્ફોસિસની સ્થાપના કરી અને આજે કોર્પોરેટ ક્ષેત્રમાં ટોચના સ્થાને છે તેમણે ઍક ઈન્ટરવ્યુ દરમિયાન ખુલાસો કર્યો કે તેઓ ભગવદ ગીતાથી ખૂબ જ પ્રેરિત છે. તેમજ મહાભારતના કર્ણ ના પાત્ર પરથી તેઓએ પ્રેરણા લીઘી છે તેમણે જણાવ્યુ કે ઉદ્યોગપતિના જીવનમાં એવો સમય આવે છે જ્યારે તેણે શ્રદ્ધા અને ભગવાનને અપનાવવા પડે છે.આ અંગે ઉદ્યોગપતિએ જણાવ્યુ કે ગીતા એવો બોધપાઠ આપે છે કે કર્મ કરો પરંતું પરિણામ ઉપરવાળા પર છોડી દો જેવું કર્મ કરશે તેવુ ફળ મળશે. જ્યારે કર્ણનુ પાત્ર માનવીને મિત્ર ધર્મ ત્યાગ અને દાનનો મહિમા શીખવે છે