Home News Update My Gujarat માત્ર ઉદ્યોગો જ કમાઈ આપે છે એ ખોટું સાબિત કરતી કૃષિ પ્રેમી...

માત્ર ઉદ્યોગો જ કમાઈ આપે છે એ ખોટું સાબિત કરતી કૃષિ પ્રેમી યુવાનો…

0

Published by : Rana Kajal

ઈડર તાલુકાના સાબલવાડ ગામના ત્રણ યુવા મિત્રો દિશાંતભાઈ, યજ્ઞિકભાઈ અને મનનભાઈ એ પોતાની ખેડુત તરીકેની જવાબદારી સમજી અને સ્ટાર્ટ અપ તરીકે પોતાની કારકિર્દીમાટે વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવવા માટેનું બીડું ઝડપ્યું. આ વ્યવસાય પસંદ કરી જમીન પર્યાવરણ સ્વાસ્થ્ય સુધારણા માટેનો પણ પ્રયાસ કર્યો છે.

આ અંગે સાબલવાડ ગામના દિશાંતભાઇએ માં કહેવા મુજબ તેમને બીએસસી એગ્રીનો અભ્યાસ કરી શિક્ષણમાં કૃષિનું જ્ઞાન મેળવી કૃષિ માટે કંઈક કરી શકાય તે હેતુથી તેમના મિત્ર સાથે મળી ખેડબ્રહ્મા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે વર્મી કમ્પોસ્ટની વધુ તાલીમ લઈ તેમણે 2020થી વર્મી કમ્પોઝ કરી ને કણમાંથી મણ શરૂ કર્યુ છે. વર્મી કમ્પોસ્ટ માટે આઇસેનિયા ફેટીડા આફ્રિકન અળસિયાની પ્રજાતિ પસંદ કરી… જે આપણા વિસ્તારના વાતાવરણમાં જીવી શકે અને અને વિકાસ કરી શકે છે. 50 ડિગ્રી તાપમાન સુધી આ અળસીયા જીવી શકે છે.

તેથી અહીંના વાતાવરણને અનુકૂળ હોવાથી તેનો ઝડપી વિકાસ થાય છે. આ ખાતરને તૈયાર થતા 90 દિવસનો સમય લાગે છે. આ બધું અળસિયાની પેદાશમાં થી થાય છે. જમીનને પોચી બનાવી પાણી ભેજ સંગ્રહ માટે તૈયાર કરવાની કામગીરી અળસિયું જ કરે છે. યાજ્ઞિકભાઈ બીએસસી કેમેસ્ટ્રી છે, તેમને રસાયણોના ઉપયોગથી થતા નુકસાન અંગેની જાણકારી છે. ડી.એ.પી. 6 ખાતરના ઉપયોગના કારણે અળસિયા જમીનની ખૂબ ઉંડે જતા રહ્યા છે અને ઘટી ગયા છે.આ વર્મી કમ્પોસ્ટ અળસિયાને ફરીથી જીવિત કરવા જમીન ઉપર લાવવા માટે ખુબ જ ઉપયોગી છે. વર્મી કમ્પોસ્ટ થકી તૈયાર થયેલા ફળદ્રુપ ખાતર અને અળસિયાને વાવણી વખતે ખેતરમાં નાખવાથી જમીનને કોઈપણ જાતના બીજા ખાતરની જરૂર પડતી નથી ઉત્પાદન સારું મળી રહે છે.

મનનભાઇ જણાવે છે કે તેમની પાસેથી ૨૦ ખેડૂતો આ ખાતર લઈ પોતાના ખેતરમાં ઉપયોગ કરી રહ્યા છે. આ ખાતરનો ઉપયોગ કરતાં તેમણે ખેત ઉત્પાદનમાં સારા પરીણામ મળી રહ્યા છે. આ વિસ્તારમાં ટામેટાનું ઉત્પાદન વધુ થાય છે. આ ખાતરનો ટામેટા વાવણી વખતે ઉપયોગ કર્યો તો જોવા મળ્યું કે જનરલી ટામેટાની સીઝન પુરી થવા આવે ત્યારે ફળ ખુબ નાનું બને છે. પરંતુ આ ખાતરના ઉપયોગ બાદ છેલ્લા સમય સુધી ફળની ક્વોલીટી એક જ પ્રકારની રહી છે. ગામના ખેડૂત મહેન્દ્રભાઇ પટેલ આ ખાતરનો ઉપયોગ કરે છે તેઓ જણાવે છે કે છેલ્લા બે ત્રણ વર્ષથી માત્ર આ ખાતર જ વાપરે છે. તેમનું ખેત ઉત્પાદન વધ્યું છે. જમીનમાં અળસિયાની સંખ્યા વધતા જમીન પોચી અને ફળદ્રુપ બને છે. તેનું ખેત ઉત્પાદન વધ્યું છે. જમીનમાં અળસિયાની સંખ્યા વધતા જમીન પોચી અને ફળદ્રુપ બની છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version