ભારતે પાડોશી દેશ સહિત બ્લેકલિસ્ટેડ આતંકવાદી જૂથો આવી માનવીય પ્રતિરક્ષાનો લાભ લઈ શકે એ કારણે આ પગલું લીધુ
ભારતે માનવતાવાદી સહાયને પ્રતિબંધોમાંથી મુક્તિ આપતા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના ઠરાવ પર મતદાન કરવાથી દૂર રહેવાનું વલણ અપનાવ્યું છે. તેનું સૌથી મોટું કારણ પડોશી દેશ પાકિસ્તાન છે. ભારતે આ પ્રસ્તાવથી પોતાને દૂર રાખીને કહ્યું કે પાડોશી દેશ સહિત બ્લેકલિસ્ટેડ આતંકવાદી જૂથો આવી માનવીય પ્રતિરક્ષાનો લાભ લઈ શકે છે.
ભારત સિવાય યુએનએસસીના તમામ સભ્યોએ ઠરાવને સમર્થન આપ્યું હતું. 15માંથી 14 દેશોએ ઠરાવની તરફેણમાં મતદાન કર્યું હતું. ભારત એકમાત્ર એવો દેશ હતો જેણે આ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. આ પ્રસ્તાવને યુએસ અને આયર્લેન્ડ દ્વારા પ્રતિબંધિત કરવાની રજૂઆત કરવામાં આવી હતી, જેમાં માનવતાવાદી પ્રયત્નોને મુક્તિ આપવામાં આવી હતી. વોશિંગ્ટને તેના પર ભારપૂર્વક જણાવ્યું હતું કે આ ઠરાવ “અસંખ્ય જીવન બચાવશે”.
માનવતાવાદી સહાય શું છે?
આ ઠરાવમાં, એવું નક્કી કરવામાં આવ્યું હતું કે માનવતાવાદી સહાયની સમયસર ડિલિવરી સુનિશ્ચિત કરવા માટે નાણાં, અન્ય નાણાકીય સંપત્તિ, આર્થિક સંસાધનો, માલસામાન અને સેવાઓની જોગવાઈ જરૂરી છે. આને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા લાદવામાં આવેલી પ્રતિબંધ સમિતિ અને સંપત્તિ ફ્રીઝનું ઉલ્લંઘન ગણવામાં આવશે નહીં.
‘આતંકવાદી દેશો આ મુક્તિનો લાભ લઇ શકે છે’
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ કહ્યું કે, આતંકવાદી દેશો આવી કોઈપણ છૂટનો ફાયદો ઉઠાવશે. કંબોજે પાકિસ્તાનમાં હાજર આતંકવાદી સંગઠનોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે અમારા પડોશમાં આતંકવાદી જૂથોના ઘણા મામલા પ્રકાશમાં આવ્યા છે. જેમાં આ કાઉન્સિલ દ્વારા સૂચિબદ્ધ આતંકવાદી જૂથો પણ સામેલ છે. આ આતંકવાદી સંગઠનો ભંડોળ એકત્ર કરવા અને લોકોની ભરતી કરવા માટે માનવતાવાદી સહાયનો ઉપયોગ કરી શકે છે.