Published By : Parul Patel
વાલિયા મામલતદાર કચેરી ખાતે જાતિના દાખલા માટે અરજદારોને ધર્મના ધક્કા ખવડાવવામાં આવતા હોવા આક્ષેપ સાથે આદિવાસી યુવાનોએ ધરણાં પ્રદર્શન યોજી વિરોધ નોંધાવ્યો હતો.
વાલિયા મામલતદાર કચેરી ખાતે છેલ્લા 10 દિવસથી જાતિના દાખલા માટે આંટો ફેરો કરતાં અરજદારોને તંત્ર દ્વારા ધર્મના ધક્કા ખવડાવવામાં આવતા હોવાના આક્ષેપ સાથે આજરોજ યૂથ પાવરના અધ્યક્ષ રજની વસાવા,વિજય વસાવા અને વિનેશ વસાવા,વિનય વસાવા તેમજ કેતન વસાવા સહિતના યુવાનોએ વિરોધ નોંધાવ્યો હતો અને કચેરીમાં જ ધરણાં પ્રદર્શન યોજી જાતિના દાખલા માટે ખોટા ખોટા પુરાવા માંગી ધર્મના ધક્કા ખવડાવવામાં આવતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા ત્યારે વહેલી તકે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લઈ જાતિના દાખલા કાઢી આપવા માટે વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.