Home Goverment માવઠાથી પાકને થયેલ નુકશાન અંગે ખાસ પેકેજ જાહેર કર્યુ…ખેડુતોને રાહત આપવાનો સરકારનો...

માવઠાથી પાકને થયેલ નુકશાન અંગે ખાસ પેકેજ જાહેર કર્યુ…ખેડુતોને રાહત આપવાનો સરકારનો હેતુ…

0

Published By : Parul Patel

સમગ્ર રાજયમાં અને ભરૂચ જિલ્લામાં વારંવાર વરસતા માવઠાના કારણે ખેડુતોને ખેતીમાં ખુબ નુકશાન થયું છે. જેના કારણે ભરૂચ જિલ્લા સહીત રાજયના ખેડુતોને પારાવાર આર્થિક નુકશાન થયુ છે. આ નુકશાન સામે સરકાર ખેડૂતોને આર્થિક સહાય કરે તેવી માંગણી કરવામાં આવી હતી. આ માંગણીઓને ધ્યાનમા રાખીને ગુજરાત રાજ્ય સરકારે ખેડુતો માટે ખાસ સહાય પેકેજ જાહેર કરેલ છે.

આ સહાયના મુખ્ય મુદ્દાઓ જોતા માવઠા અસર ગ્રસ્ત 13 જિલ્લાનાં 48 તાલુકાઓને આ પેકેજનો લાભ મળશે, બાગાયતી પાકમાં હેકટર દીઠ રૂ 13.500 ઉપરાંત રૂ.9.500 મળી કુલ રૂ 23 હજારની સહાય કરવામાં આવશે. જ્યારે બહુવર્ષાયુ પાકોમાં હેકટર દીઠ રૂ 18 હજાર ઉપરાંતની રૂ 12.600 ની સહાય મળી કુલ રૂ 30.600ની સહાય આપવામા આવશે જોકે આ સહાય વધુમા વધુ બે હેકટરની મર્યાદામાં મળશે એમ જણાવવામાં આવે છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version