Published by : Anu Shukla
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી મકર બજેટ સત્ર પહેલા પોતાની ટીમમાં ફેરફાર કરી શકે છે
ભારતીય જનતા પાર્ટી (BJP) આગામી ચૂંટણીને અનુલક્ષીને તડામાર તૈયારીઓ કરી રહી છે. હવે મિશન 2024ના ભાગરૂપે પાર્ટી અનેક પ્રકારના પરિવર્તનો કરી રહી છે. 2024ની લોકસભા ચૂંટણીની તૈયારીઓ વચ્ચે કેન્દ્રીય મંત્રી પરિષદમાં ફેરબદલની અટકળો લગાવવામાં આવી રહી છે. એવું કહેવાઈ રહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મકર બજેટ સત્ર પહેલા પોતાની ટીમમાં ફેરફાર કરી શકે છે. આ દરમિયાન ગુજરાતના કેટલાક સાંસદોને પણ એન્ટ્રી મળી શકે છે. અગાઉ ગત વર્ષે 8મી જૂનના રોજ ફેરબદલી કરવામાં આવી હતી.
વડાપ્રધાન મોદી મકરસંક્રાંતિ અને બજેટ સત્ર વચ્ચે મંત્રીઓની ફેરબદલ કરી શકે છે. એવું કહેવાઈ રહ્યું છે કે તેના તાર BJPના સંગઠન સ્તર પર થનારા પરિવર્તનો સાથે જોડાયેલા હોઈ શકે છે. સાથે જ આ સંભવિત ફેરબદલી પર 2023માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની અસર પણ દેખાઈ શકે છે. સંભવિત ફેરબદલી માત્ર મંત્રીઓની કામગીરીના આધારે જ નહીં પરંતુ અન્ય યોગ્યતા ધરાવતા સાંસદોને પણ તક આપીને કરવામાં આવશે. તેના દ્વારા મંત્રીમંડળમાંથી મુક્ત થશે તેઓ સંગઠનમાં કામ કરી શકશે.
ગત વર્ષે ફેરબદલીમાં ટીમ મોદીમાં 12 મંત્રીઓ બદલાયા હતા. એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ વખતે પણ મોટા પાયે ફેરફાર થઈ શકે છે. એવું કહેવાઈ રહ્યું છે કે ટીમમાં લોકસભાનું પ્રતિનિધિત્વ વધી શકે છે અને નીચલા ગૃહનું સભ્યોને મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં BJPની મોટી જીત બાદ રાજ્યના કેટલાક સાંસદોને તક મળી શકે છે. મળતી માહિતી અનુસાર પાર્ટીના નેતાઓએ રાજ્યના નેતાઓ અને પાર્ટીના પદાધિકારીઓની સાથે લાંબી બેઠકો કરી હતી. એવી શક્યતાઓ છે કે મંત્રી પરિષદમાં મહિલાઓ અને અનામત વર્ગની સંખ્યા વધી શકે છે.