Home News Update My Gujarat મીડિયાએ સંદીપ બી. વસાવા સાથે વાતચીત કરી…

મીડિયાએ સંદીપ બી. વસાવા સાથે વાતચીત કરી…

0

Published by : Rana Kajal

મીડિયા.. તમારી સામે ફરિયાદી કિશોર નથવાણીએ કોન્ટ્રેક્ટર સાથે ભ્રષ્ટાચાર આચરીને તમે બેનામી મિલકતો વસાવી હોવાનો આક્ષેપ કરતી ફરિયાદ જીએડી અને એસીબી સમક્ષ કરી છે, એ બાબતે શું કહેશો?

સંદીપ વસાવાઃ હવે ભાઇ બેઝિકલી આરટીઆઇ એક્ટિવિસ્ટ તો સો કોલ્ડ એક્ટિવિસ્ટ (તથાકથિત) છે. નામચીન છે. બ્લેકમેઇલર છે. હું તેને ઓળખતો પણ નથી. 2018માં પણ ફરિયાદ કરી હતી. ત્યારે જીએડીએ મારી પાસે સ્પષ્ટતા માગી હતી. જે મેં આપેલી છે. એ કેસ ફાઇલ થઇ ગયો છે. તે ભાઇની સામે અમારા બે અધિકારીઓએ ફરિયાદ કરી હતી. તેની ઓડિયો ટેપ છે. એમાં કિશોરભાઇએ પૈસા માગ્યા હતા. એસીબીએ તેમની સામે અહેવાલ આપ્યો છે. માત્ર મારી સામે નહીં, ઘણા બધાની સામે કરી છે. કોઇને પણ પૂછશો કે તેઓ કોણ છે તો તેમના વિશે અભિપ્રાય મળી જશે.

મીડિયા: શું આપની સામેના આક્ષેપમાં તથ્ય છે?

સંદીપ વસાવા: મારી સામેના આક્ષેપોમાં તથ્ય નથી. ટ્રેડિશનલી બ્લેકમેઇલર છે. અગાઉ ગોધરામાં તેની સામે ફોજદારી થયેલી છે અને લુણાવાડા કોર્ટમાં કેસ પણ ચાલે છે. તેણે જે પણ કાંઇ લખ્યું હશે તો એમાં સબસ્ટન્સ(વાસ્તવિકતા) નહીં હોય.’

મીડિયા:તેમણે સાયન્સસિટીમાં બંગલો લીધો હોવાનો આક્ષેપ કર્યો છે, આપ શું કહેશો?

સંદીપ વસાવાઃ સાયન્સસિટી વિસ્તારમાં 2008માં મારી માતા રમાબેને બંગલો ખરીદેલો છે. એચડીએફસી બેંકમાંથી લોન લઇને ખરીદેલો હતો. એનો આજે પણ દર મહિને 30 હજારનો હપતો ચૂકવવામાં આવે છે. એ 2025માં પૂરા થશે. મેં નથી ખરીદ્યો, મારી માતાએ ખરીદેલો છે. મારા પિતા કસ્ટમ્સ ઓફિસર હતા. તેઓ 2001માં અવસાન પામ્યા હતા. મારા વતન રાજુવાડિયામાં બાપદાદાની જમીન છે. વારસાઇની જમીનમાં તો નામ આવે જ. મેં કે મારા પિતાએ ખરીદી નથી. મારા પિતા ખેડૂત હતા. એ સમયે વારસાઇમાં કૃષિની આવક તથા પેન્શન, વીમા, ગ્રેચ્યુઇટી વગેરે જે મળ્યું હોય, એમાંથી મારી માતાએ છોકરાઓના રહેવા માટે ખરીદ્યો છે. ત્યારે 50 કે 55 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.

મીડિયા:શું તમે 12થી 15 કરોડમાં બંગલો નથી લીધો?

સંદીપ વસાવાઃ 2008-09માં લીધો હતો એની બજાર કિંમત આજે વધે એમાં મારો કોઇ વાંક નથી. એનો દસ્તાવેજ થયેલો છે. મારાં માતા ખેતી, પેન્શનર છે. 10-12 કરોડની કિંમત કેટલી છે એ મને ખબર નથી. જમીનનો ભાવ પણ મને ખબર નથી.

મીડિયા: 73એ એ હેઠળ તમને જમીન મળી છે?

સંદીપ વસાવાઃ મારું ગામ રાજુવાડિયાની બાજુમાં છે, પરંતુ રાજુવાડિયા ગ્રામપંચાયત લાગે છે. મારા ગ્રાન્ડ ફાધરના નામની જમીન હતી. તેમના અવસાન બાદ મારા પિતાનું નામ આવે. ત્રણ ભાઇઓ હોય તો તેમનાં નામ આવે. ભાઇઓ અવસાન પામે એટલે તેમનાં પત્ની અને સંતાનોનાં નામ આવે. 73 એએ હેઠળ મને કોઇ આદિવાસીની જમીન મળી નથી. અમે કાયદેસરના વારસદાર તરીકે છીએ. રાજુવાડિયા જ નહીં, આખાય ગુજરાતમાં મેં મારા નામે કે મારી પત્ની કે પરિવારના સભ્યોના નામે કૃષિ જમીન ખરીદી નથી. વારસાઇમાં તો આવવાનું જ. મને હમણાં કોઇ કહેતું હતું કે મારા પિતાનું નામ હતું ભાનુભાઇ. એટલે તે ભાઇએ જેટલા પણ ગામની આજુબાજુના ભાનુભાઇ હશે તે બધાના 7-12 લીધા છે. મારી માતાનું નામ છે રમાબેન. તો તેમના નામવાળી વ્યક્તિના પણ કઢાવ્યા છે. સંગીતાબેન મારાં બહેન છે. એ વિસ્તારમાં જેટલાં પણ સંગીતાનાં નામ હોય એ બધાં તેને બતાવ્યાં છે. સંતોષભાઇ પાણી પુરવઠા બોર્ડમાં છે. ભળતાં નામના કઢાવ્યાં છે. ભાનુભાઇ જેટલા પણ હોય તે મારા ફાધર 40-50 દસ્તાવેજો કોમ્પ્યુટરમાંથી કઢાવ્યા છે. તે ભળતાં નામના કઢાવ્યાં છે.

મીડિયા: તમારું નેટવર્ક પાવરફુલ છે

સંદીપ વસાવાઃ તમને મોકલેલી ફરિયાદ મારા સ્ટાફને પણ સહી વગરની તેમણે મોકલી છે, જેથી મને મારા સ્ટાફે જણાવ્યું હતું. જેથી મને આ હકીકતની ખબર છે. નહીં તો મને કેવી રીતે ખબર હોય. તેમને એટલા માટે મોકલે છે કે હું તમારા સાહેબ સામે આ અરજી કરું છું.
મીડિયા: GAD કે ACBએ 2022 પછી તમારી પાસે કોઈ ખુલાસો માગ્યો છે?

સંદીપ વસાવાઃ મારા ખ્યાલથી સ્પષ્ટતા પૂછવામાં આવી છે.

કોન્ફિડેન્શિયલ હોવાથી વિગતો ના આપી શકીએઃ સંયુક્ત નિયામક-ACB
આ મામલે ગુજરાત રાજ્યના લાંચ-રુશ્વત વિરોધી બ્યૂરોના સંયુક્ત નિયામક મકરંદ ચૌહાણે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે એ કોન્ફિડેન્શિયલ હોય એટલે કાર્યવાહીની વિગતો ના આપી શકીએ. એકવાર એફ.આઇ.આર. દાખલ થાય તો જ પ્રેસ આઉટ કરી શકીએ. એ વગર ના આપી શકીએ.

જોકે GADના અધિક મુખ્ય સચિવ
રાજ્યના તત્કાલીન સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ અને હાલના પંચાયત, રૂરલ હાઉસિંગ એન્ડ રૂરલ ડેવલપમેન્ટના અધિક મુખ્ય સચિવ એ.કે. રાકેશે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું સામાન્ય વહીવટ વિભાગમાં હતો ત્યાં સુધી કશું મારા ધ્યાનમાં આવ્યું ન હતું. હવે કમલ દાયાણી પાસે જીએડીનો ચાર્જ છે. જ્યારે સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકેના ચાર્જમાં રહેલા કમલ દયાણીએ ફોન ઉપાડ્યો નહોતો અને મેસેજનો પણ કોઇ જવાબ આપ્યો નહોતો….

ACBએ સામાન્ય વહીવટ વિભાગને સુપરત કરેલો અહેવાલ રાજ્યના માર્ગ અને મકાન વિભાગના સચિવ સંદીપ બી.વસાવાએ મીડિયા સમક્ષ રજૂ કર્યો હતો. આ અહેવાલમાં લાંચ-રુશ્વત વિરોધી બ્યૂરોના નિયામક કેશવકુમારે તા. 29-4-2021ના રોજ સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દાયાણીને જણાવ્યું હતું કે કિશોરભાઇ નથવાણી સામે થયેલી બેનામી અરજી અંગેની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન તેમણે 11 અરજી જુદી જુદી વ્યક્તિઓ સામે કરી હોવાનું જણાયું હતું. તેમાંથી બે અરજી કલેક્ટર વિરુદ્ધ, એક અરજી ડીડીઓ વિરુદ્ધ અને આઠ અરજી આરએન્ડ બી ખાતાના અધિકારીઓ વિરુદ્ધની હોવાનું જણાવ્યું છે. એની સાથોસાથ કિશોર નથવાણી દ્વારા સરકારી અધિકારી-કર્મચારીઓ પાસેથી આરટીઆઇનો દુરુપયોગ કરીને પૈસા પડાવવાની પદ્ધતિને ડિજિટલ પુરાવા તરીકે સચોટ સમર્થન મળ્યું હોવાનું પણ જણાવ્યું હતું. એટલું જ નહીં, પરંતુ માગણી નહીં સંતોષાતાં એસીબીમાં અરજી કરેલી હશે એવી શક્યતા નકારી શકાય નહીં. જેથી કિશોર નથવાણી દ્વારા કરાયેલી અરજીઓ પૈકી જેમાં કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી એવી અરજીઓ તથા હવે પછી તેમના કે અન્ય કહેવાતા આરટીઆઇ એક્ટિવિસ્ટ દ્વારા કરવામાં આવે એ તમામ અરજીઓ ઓછામાં ઓછાં બે વર્ષ અને વધુમાં વધુ પાંચ વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવાની સૂચના અંગેનો પરિપત્ર કરવા સામાન્ય વહીવટ વિભાગને વિનંતી કરી હતી તેમજ એસીબીની રિવર્સ ટ્રેપ માટે જાણ કરવા તમામ વિભાગોને સૂચના આપવામાં આવે એવી પણ વિનંતી કરાઇ હતી. આ દરખાસ્ત કરવા પાછળ આરટીઆઇનો. દુરુપયોગ થતો અટકાવવા સહિતનાં સાત કારણ જણાવ્યાં હતાં…
સૌજન્ય… દિવ્ય ભાસ્કર

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version