Wednesday, July 23, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratમુખ્યમંત્રીની વીજળી બચાવવા પહેલ…

મુખ્યમંત્રીની વીજળી બચાવવા પહેલ…

Published by : Anu Shukla

  • જ્યાં સુધી અજવાળુ હોય ત્યાં સુધી લાઈટો ચાલુ નહીં કરવા આદેશ
  • એન્ટી રૂમના વીજ ઉપકરણો પણ જાતે જ ચાલુ-બંધ કરવાનો નિર્ણય લીધો છે

રાજ્યમાં સરકારી કચેરીઓમાં વીજળીનો વેડફાટ અવારનવાર સામે આવતો હોય છે. સરકારી અધિકારીઓને જાણે કોઈ નુકસાનની ચિંતા જ ના હોય તેમ તેમના કેબિનોમાં લાઈટો અને પંખા ચાલુ હોય છે. ત્યારે હવે ખુદ મુખ્યમંત્રીએ એક એવી પહેલ કરી છે. તેમણે જ્યાં સુધી અજવાળુ હોય ત્યાં સુધી તેમની ઓફિસમાં લાઈટ ચાલુ નહીં રાખવાનો નિર્દેશ આપ્યો છે.

વીજળીની બચત થાય તે માટે નિર્ણય લેવાયો

મુખ્યમંત્રી કાર્યાલયમાં વીજળીની બચત થાય તે માટે જ્યાં સુધી ઓફિસ અને કાર્યાલયમાં અજવાળું હોય એટલે કે કુદરતી પ્રકાશ આવતો હોય ત્યાં સુધી લાઇટ ચાલુ ન કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. CM ભૂપેન્દ્ર પટેલે અન્ય મંત્રીઓને પણ અજવાળું હોય ત્યાં સુધી લાઇટ ચાલુ ન કરવા સૂચન કર્યું છે. તેમણે એન્ટી રૂમના વીજ ઉપકરણો પણ જાતે જ ચાલુ-બંધ કરવાનો નિર્ણય લીધો છે.

સરકારી તિજોરીનું આંશિક ભારણ ઓછું થશે

વીજળીની બચત થાય તે હેતુથી સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ સૂચન કરવામાં આવ્યું છે. ગાંધીનગર સ્વર્ણિમ સંકુલમાં સવારે ઓફિસો શરૂ થતાની સાથે જ લાઇટ ચાલુ થઇ જતી હોય છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આ અનોખી પહેલથી સરકારી તિજોરીનું આંશિક ભારણ ઓછું થશે અને એટલી વીજળીની પણ બચત થશે. એન્ટી રૂમમાં પણ AC સહિતના જે વીજ ઉપકરણો છે તે કોઇ બેઠા હોય કે ન હોય સતત ચાલુ રહેતા હોય છે. જેના કારણે વીજળીનો વ્યય થતો હોય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!