Home News Update Nation Update મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથની બહેન ચાની લારી ચલાવે છે…

મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથની બહેન ચાની લારી ચલાવે છે…

0

Published By : Parul Patel

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની બહેન ચાની લારી ચલાવી જીવનનુ ગુજરાન કરે છે.

મુખ્યમંત્રીના બહેન પહાડી મંદિરની બહાર ચા વેચતા જોવા મળ્યા હતા. તેમની સાદગી ઍવી કે સૌ તેમને વંદન કરી રહ્યા છે. કેટલાક તો માનવા પણ તૈયાર નથી કે ચાની લારી ચલાવતી આ બહેન ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથની સગી બહેન છે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ગણતરી દેશના પ્રમુખ નેતાઓમાં થાય છે. ઉત્તરાખંડના અંતરિયાળ પહાડી વિસ્તારમાં વસેલા તેમના ગામ અને પરિવારની ચર્ચા પણ ખુબ થતી હોય છે. તેમના નાની બહેન પણ ચર્ચામાં રહેતા હોય છે. જેઓ એક ચાની, નાનકડી દુકાન ચલાવે છે. જૌનપુરની કેરાકટ સીટથી પૂર્વ વિધાયક દિનેશ ચૌધરીએ શેર કરતા લખ્યું કે કેટલાક દર્શનાર્થીઓ માતાજીના દર્શન કરવા માટે ગયા હતા. મંદિરની બહાર જે મહિલા માતા ભુવનેશ્વરી પ્રસાદ ભંડાર નામથી નાનકડી ચાની દુકાન ચલાવે છે. તેઓ યુપીના સીએમ યોગી આદિત્યનાથના બહેન છે. યોગી આદિત્યનાથ સન્યાસી જીવનમાં આવતા પહેલા માતા પિતા અને ભાઈ બહેનો સાથે રહેતા હતા. યોગી આદિત્યનાથના સાત ભાઈ બહેન છે. યોગીથી નાના બહેન શશીએ લગ્ન બાદ પતિ પૂરણસિંહ સાથે મળીને ચર્ચિત માતા પાર્વતીના મંદિરની પાસે જ ફૂલ અન પ્રસાદની દુકાન ખોલી. શશના ગામ કુઠારથી થોડે દૂર નીલંકઠ મહાદેવ અને માતા પાર્વતીનું મંદિર છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version