Published by : Rana Kajal
- રશિયાએ ખેરસનમાંથી નાગરિકોને ક્રીમિયા ખસેડવાની ફરજ પડી…
ખેરસન શહેરમાં રશિયાનો પરાજય નિશ્ચિત છે, એવો દાવો લોર્ડ ડેનેટે કર્યો છે. બ્રિટનના ભૂતપૂર્વ સશસ્ત્ર દળના વડાનું કહેવું છે કે ખેરસન રશિયાના હાથમાંથી હવે ગમે ત્યારે સરકી શકે છે. આ વાતનો જાણે પુરાવો આપતા હોય તેમ રશિયાએ ખેરસનમાંથી તેના નાગરિકોને ખસેડવા પડયા છે એમ કહેવાઈ રહ્યું છે. પુતિનના દળો ખેરસનમાં ખુવારી ટાળવાના બદલે ત્યાંથી નીકળી જવાની ફિરાકમાં જ છે. યુક્રેનના દળોના વળતો પ્રહારનો સામનો કરવા તે તૈયાર નથી. ગયા મહિને ખાર્કિવમાં હારતા રશિયાની સ્થિતિ વધુ નબળી થઈ છે.તેથી જ રશિયા હવે ખાર્કિવનો મોરચો મજબૂત કરવામાં લાગેલુ છે, જેથી તેની મુખ્ય સપ્લાય લાઇન જળવાઈ રહે. આ માટે કદાચ તે જરુર પડે તો ખેરસનનો ભોગ આપી શકે છે.યુક્રેનના મિલિટરી ઇન્ટેલિજન્સના વડાનો દાવો છે કે રશિયા પરાજય ભણી ધકેલાઈ ગયું હોવાથી પુતિનના હાથમાંથી સત્તા સરકી રહી છે અને આ સત્તા સિક્યોરિટી કાઉન્સિલ સેક્રેટરી નિકોલાઈ પત્રુશેવ અને વ્લાડીમીરની સ્થાનિક નીતિઓના વડા સર્ગેઈ કિરિયેન્કો પાસે જઈ શકે છે. રશિયા યુક્રેનના યુદ્ધમાં હાલમાં બેકફૂટ પર છે. રશિયા પરાજય ભાળી ગયું હોવાથી યુક્રેનના ઇન્ફ્રાસ્ટ્રકચરને લક્ષ્યાંક બનાવી રહ્યું છે. એમ પણ જણાવામાં આવી રહ્યું છે…