ગત દિવસોમાં કલકત્તા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલના ઉદ્ઘાટન સમારોહમાં લોકપ્રિય સિંગર અરિજીત સિંઘે ‘રંગ દે તુ મોહે ગેરુઆ’ ગીત ગાયું હતું જેના પગલે તેનો આગમી કાર્યક્રમ રદ થયો છે. ભાજપે કહ્યું મમતા બેનર્જીની સામે આ ગીત ગાયું એટલે કેન્સલ કરવામાં આવ્યો છે.
બોલીવુડ સિંગર અરિજીત સિંઘનો નવા વર્ષમાં કલકત્તામાં યોજાનાર કોન્સર્ટ રદ થઇ ગયો છે. આ કોન્સર્ટ કલકત્તાના ઇકો પાર્કમાં થવાની હતી. સિંગરના લાઈવ કોન્સર્ટના રદ થવા પાછળ રાજનૈતિક કારણ હોવાનું જણાવાઈ રહ્યું છે. આ મુદ્દે પશ્ચિમ બંગાળમાં રાજનીતિ શરુ થઇ ગઈ છે. બીજેપીએ અરિજીતનો આ શો કેન્સલ કરાવવા પાછળ કારણ આપ્યું છે કે, સિંગરે કોલકત્તા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલમાં ‘રંગ દે તુ મોહે ગેરુઆ’ ગીત મમતા બેનર્જી સામે રજુ કર્યું હતું
અને તેના લીધે અરિજીત તેની કિંમત ચૂકવી રહ્યો છે.ભાજપના નેતા અમિત માલવિયાએ આરોપ લગાવ્યો હતો કે કલકત્તા ફિલ્મ ફેસ્ટીવલ દરમિયાન પ.બંગાળના સીએમ મમતા બેનર્જીના સામે સૌ પ્રથમ શાહરુખ ખાન અને કાજોલની ફિલ્મ ‘દિલવાલે’નું ગીત ‘રંગ દે તુ મોહે ગેરુઆ’ ગાયું હતું અને કોઇ બંગળી ગીત ગાયું ન હતુ જેના પગલે અરિજીતનો અગામી શો જે ઇકો પાર્કમાં થવાનો હતો તે તેમણે રદ કરાવ્યો છે.
પશ્ચિમ બંગાળના પ્રધાન ફિરહાદ હકીમે જણાવ્યું હતું કે અરિજિત સિંહની ઇવેન્ટ માટે પરવાનગી આપવામાં આવી નથી કારણ કે તે જ વિસ્તારમાં G-20 ઇવેન્ટ પણ નિર્ધારિત છે. “ભારતના G-20 પ્રેસિડન્સીને ચિહ્નિત કરતી આ ઇવેન્ટ ઈકો પાર્ક (એ સ્થળ જ્યાં અરિજિત સિંહનો કોન્સર્ટ થવાનો હતો)ની