Home BOLLYWOOD રણવીર જાહ્નવી જોવા મળશે તેજાબના રીમેકમાં…

રણવીર જાહ્નવી જોવા મળશે તેજાબના રીમેકમાં…

0

અનિલ કપૂર અને ખાસ તો માધુરી દીક્ષિતની કારકિર્દીની સીમાચિહ્ન રુપ ફિલ્મ ‘તેજાબ’ની રિમેક બની રહી છે. તેમાં અનિલના રોલમાં રણવીર અને માધુરીની ભૂમિકા માટે જાહ્નવી કપૂરનો સંપર્ક કરાયાની ચર્ચા છે.

આ રિમેકનું પ્લાનિગ ચાલુ થયું ત્યારે કાર્તિક આર્યન અને શ્રદ્ધા કપૂરની જોડી નક્કી થઈ હતી. જોકે, હવે કાસ્ટિંગમાં બહુ મોટા પાયે ફેરફારો થયા છે. ફિલ્મની બાકીની કાસ્ટ અંગે પણ હજુ સુધી કોઇ નિર્ણય લેવાયો નથી.

૧૯૮૮માં આવેલી તેજાબને લીધે અનિલ કપૂર અને માધુરની સુપરહિટ જોડી સ્થાપિત થઈ હતી. તે પછી બંનેએ અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. તેજાબનાં એક દો તીન ગીતથી માધુરીની કારકિર્દી ઉંચકાઈ હતી .

રણવીર ઉપરાછાપરી નિષ્ફળતાઓથી હવે એક શ્યોર શોટ હિટ ફિલ્મની શોધમાં છે. બીજી તરફ જાહ્નવીને પણ સ્ટાર કિડ તરીકે અનેક તક મળવા છતાં તેની કારકિર્દી હજુ સુધી જામી નથી.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version