રાજકોટના સોરાષ્ટ્ર ક્રિકેટ એસોસીયેશનના ખંઢેરી ગ્રાઉન્ડમાં આજે ભારત અને શ્રીલંકા વચ્ચે ટી20 શ્રેણીનો ત્રીજો અને ફાઈનલ મેચ રમાનાર છે. ગઈકાલે બંને ટીમોનું રાજકોટમાં આગમન થઈ ગયુ હતું. મેચને લઈને ગ્રાઉન્ડમાં તૈયારી પુર્ણ થઈ ગઈ છે. આ મેચ નિર્ણાયક હોવાથી ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકોટ મેચમાં ટિકિટોનું સંપુર્ણ વેચાણ થઈ ગયું છે. આ મેચને લઈને રાજકોટ પોલીસ કમિશ્નર દ્વારા રાજકોટ જામનગર હાઈવે પર ટ્રાફિકને લઈને જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે. આજે સાંજે 7 વાગ્યે મેચની શરુઆત થશે. રાજકોટમાં પ્રથમ વખત સિરીઝની ફાઈનલ મેચ રમાનાર છે. રાજકોટમાં T20 મેચ રમાનાર હોય સમગ્ર શહેર જાણે ક્રિકેટ ફિવરના રંગે રંગાઈ રંગાઈ ગયું છે. સમગ્ર શહેર ક્રિકેટમય બની ગયું છે. રાજકોટમાં પ્રથમ વખત જ સ્પાઈડર કેમેરાનો ઉપયોગ થશે તેમજ મેચના પરિણામ બાદ ભવ્ય આતશબાજી પણ કરવામાં આવશે.