Published by : Rana Kajal
- તા 11મીએ સચિન એક દિવસના ધરણાં કરશે…
રાજસ્થાનમાં સત્તાધારી કોંગ્રેસ પક્ષની આંતરિક ખટરાગ ફરી સપાટી પર આવી છે. હાલમાં એવી જાહેરાત પણ કરવામાં આવી છે કે મુખ્યમંત્રી અશોક ગેહલોત અને ભાજપના પુર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે મીલીભગત છે જેના કારણે વસુંધરા સામેના ભ્રષ્ટાચાર કાંડૉની તપાસ કરવામાં આવી રહી નથી. જેથી નારાજ થયેલા કોંગ્રેસના પૂર્વનાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટ તા 11 એપ્રિલના રોજ ઍક દિવસના ધરણાં કરશે…
ધરણા કાર્યક્રમની જાહેરાત કરવા યોજાયેલ પત્રકાર પરિષદમાં એમ જણાવવામાં આવ્યું હતું કે વસુંધરા રાજેના મુખ્યમંત્રીના ભાજપના શાસન દરમિયાન અનેક ભ્રષ્ટાચાર કાંડ આચરવામાં આવ્યા હતા તે અંગેની તમામ માહીતી આપી હોવા છતાં મુખ્ય મંત્રી અશોક ગેહલોત દ્વારા કોઇ નોધપાત્ર તપાસ કરવામાં આવી નથી. તેથી કોંગ્રેસના રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને ભાજપના પુર્વ મુખ્યમંત્રી વસુંધરા સાથે મિલીભગતનો આક્ષેપ કરવામાં આવી રહયો છે. જેનો વિરોધ કરવા કોંગ્રેસના પુર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટ તા. 11મીએ ઍક દિવસના ધરણાં કરશે.