- ટૂંક સમયમાં પરિપત્ર બહાર પાડવામાં આવશે.
ચીનમાં કોરોનાને પગલે ગુજરાત સરકાર દ્વારા તકેદારીના ભાગરૂપે શાળાઓમાં કોવિડ ગાઈડલાઈન અંગે મૌખિક સૂચના આપવામાં આવી છે.
ચીનમાં હાલ કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેને પગલે દેશમાં પણ સરકાર સતર્કતા રાખવાના ભાગ રૂપે પગલા ભરવામાં આવી રહ્યા છે. આજે દેશમાં કોરોનાના 196 કેસ આવ્યા છે. આ અંગે કેન્દ્ર સરકારની તકેદારીના ભાગરૂપે મિટિંગોનો દોર ચાલી રહ્યો છે. તો રાજ્ય સરકાર દ્વારા પણ તકેદારીના પગલા ભરવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે લોકોને માસ્ક પહેરવા અંગે અપીલ કરી હતી. તો શાળાઓમાં કોવિડ ગાઈડલાઈન અંગે મૌખિક સૂચના આપવામાં આવી છે. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ગાઇડલાઇનનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. શિક્ષણ વિભાગે જિલ્લા કક્ષાએ આપી મૌખિક સૂચના આપી છે. DEO ગાઇડલાઇનની અમલવારી માટે ટૂંક જ સમયમાં પરિપત્ર જારી કરવામાં આવશે.