Friday, September 12, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratરાજ્યમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ દરમિયાન 11 લોકોના મોત...

રાજ્યમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ દરમિયાન 11 લોકોના મોત…

Published by : Rana Kajal

રાજ્યમાં ઉત્તરાયણના તહેવાર પર અનેક અકસ્માતો સર્જાયા છે. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ દરમિયાન 11 લોકોના મોત થયા છે, જ્યારે 50થી વધુ લોકો પતંગ ચગાવતાં ધાબા પરથી નીચે પડકાયા હતા. ઉપરાંત 130થી વધુ લોકોને દોરીને લીધે ઇજા પહોંચી છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 59 કેસ દોરીથી ઇજા પહોંચવાના સામે આવ્યા હતા.

રાજ્યમાં બે દિવસ દરમિયાન 1281 માર્ગ અકસ્માતના કેસ સામે આવ્યા હતા. ઉત્તરાયણની વાત કરીએ તો, પતંગની દોરથી ઇજાના 92, પતંગ ચગાવતા પટકાવાના 34, માર્ગ અકસ્માતના 820, પડી જવાના 368, મારામારીના 343 કેસ મળ્યા હતા. ઉત્તરાયણના દિવસે કુલ 1657 ઘટના બની હતી. વાસી ઉત્તરાયણના દિવસે સાંજ સુધી 817 ઇમરજન્સી કેસ સામે આવ્યા હતા. ખાસ કરીને સુરત, વડોદરા અને રાજકોટમાં સૌથી વધુ ઇમરજન્સી ઘટનાઓ નોંધાઇ હતી. જ્યારે અમદાવાદમાં સૌથી વધુ 91 કેસ મારમારીના સામે આવ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!