Published By : Parul Patel
રાજ્યમા હાલ વરસાદ સાથે કરા વરસી રહ્યા છે, જે ખેતી માટે ખુબજ નુકશાનકારક સાબીત થઈ રહ્યા છે. કરા કેવી રીતે બને છે….?
રાજયના ભરૂચ જિલ્લા સહિતના વિવિઘ વિસ્તારોમા તાજેતરમા કમોસમી વરસાદ સાથે કરા વરસ્યા હતા. કરા મોટે ભાગે માર્ચ અને એપ્રિલમાં પડે છે. ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO) ના જણાવ્યા મુજબ, કરા અને અતિવૃષ્ટિથી ખેતીને ભારે નુકસાન થાય છે.
કરા બને છે કઈ રીતે તે અંગે જોતાં… જ્યારે આકાશમાં તાપમાન શૂન્યથી અનેક ડિગ્રી નીચે થઈ જાય છે, ત્યારે હવામાં હાજર ભેજ ઠંડા ટીપાંના રૂપમાં જામી જાય છે. ધીમે ધીમે તેઓ બરફના ગોળાનું સ્વરૂપ લે છે જેને કરા કહેવામાં આવે છે. એકવાર કરા પૂરતા પ્રમાણમાં મોટા થઈ ગયા પછી, ગુરુત્વાકર્ષણ તેને પૃથ્વીની સપાટી પર લાવે છે, જેને કરા પડવા અથવા અતિવૃષ્ટિ કહેવામાં આવે છે, જે સામાન્ય રીતે તીવ્ર વાવાઝોડા સાથે સંકળાયેલ છે…