Published by : Rana Kajal
આપણા લોક લાડીલા અને આઝાદીની ચળવળમાં મહત્વનો ભાગ ભજવનાર સરદાર વલભભાઇ પટેલને આપણે આજે આટલા વર્ષો પછી પણ ભુલી શકીએ તેમ નથી. સરદાર વલ્લભભાઇ પટેલ કે જેઓને લોખંડી પુરુષ તરીકે ઓખવામાં આવે છે. તેઓનો જન્મ ગુજરાતમાં નડિયાદના એક સામાન્ય ખેડુતના ઘરમાં 31મી ઓક્ટોમ્બર, 1875માં થયો હતો. તેમના માતા-પિતા ખુબ જ ધાર્મિક હતા. વલ્લભભાઇએ તેમનુ શિક્ષણ ગુજરાતીમાં જ લીધુ હતુ. ત્યારબાદ તેઓ 1910માં વકીલાત માટે ઇગ્લેંડ ગયા હતા. 1913માં તેઓને વકીલની પદવી મળ્યા બાદ ભારત પાછા ફર્યા હતા. ત્યારબાદ તેઓ ગાંધીજીથી પ્રભાવિત થઈને આઝાદીની ચળવળ માટે તેમની સાથે જોડાઇ ગયા હતા. ગાંધીજી અને સરદાર વલ્લભભાઇનો સંબંધ ગુરુ-શિષ્ય જેવો હતો.
વલ્લભભાઇને ખેડૂતો પ્રત્યે ખુબ જ પ્રેમ હતો. તેથી તેઓએ ખેડૂતો માટે ખુબ જ સારા કાર્યો કર્યાં હતા. જ્યારે 1928માં સરકારે ખેડૂતો પર જમીનને લગતો ટેક્સ નાખ્યો ત્યારે તેઓએ ખેડૂતોને સત્યાગ્રહ માટે તૈયાર કર્યાં અને તે ટેક્સ ભરવાની મનાઇ કરી દીધી. તેઓએ ખેડૂતો સાથે મળીને બારડોલી સત્યાગ્રહ કર્યો હતો. તેથી સરકારે વલ્લભભાઇને અને ખેડૂતોને પણ જેલમાં પુરી દીધા હતા. ત્યારથી ગાંધીજીએ તેમને ‘સરદાર’નું બીરુદ આપ્યુ હતુ.
1930માં જ્યારે ગાંધીજીએ મીઠા માટે સત્યાગ્રહ કર્યો હતો ત્યારે તેમાં પણ વલ્લભભાઇ તેમની સાથે હતા. 1942માં ગાંધીજીએ ‘ભારત છોડો’ આંદોલન શરૂ કર્યું ત્યારે પણ બ્રીટીશ સરકારની વિરુધ્ધ વલ્લભભાઇ તેમની સાથે હતા. તેથી બ્રીટીશ સરકારે ગાંધીજી, જવાહરલાલ સહિત વલ્લભભાઇને પણ જેલમાં પુરી દીધા હતા. તેઓ પોતાના દેશ માટે ઘણી વખત જેલમાં ગયા હતા. તેઓ જ્યારે જેલમાં હતા તે સમયે જ તેઓના માતા-પિતાનું મૃત્યુ થઈ ગયુ હતુ. તેઓનુ મૃત્યુ 1950માં ડિસેમ્બરમાં બોમ્બેમાં થયું હતુ. ગુજરાતમાં આવા મહાન પુરૂષો પહેલા પણ હતા અને આજે પણ છે અને હંમેશા થતા આવશે. પણ બીજા સરદાર વલ્લભભાઇ પટેલ ક્યારે મળશે તે ખબર નથી. આવા મહાનુભવોને લીધે જ આજે ગુજરાતનો જયજયકાર થઈ રહ્યો છે.