- 23 સેકન્ડની વીડિયો ક્લિપ ખોટા દાવા સાથે સોશિયલ મીડિયા પર વાઇરલ
- જાણો સત્ય
Published By : Aarti Machhi
રાહુલ ગાંધીએ હિન્દુઓને ચેતવણી આપી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ત્યારે શું છે આ વાયરલ વીડિયો ક્લિપનું સત્ય આવો જાણીએ…
વિપક્ષના નેતા રાહુલ ગાંધીનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે. 23 સેકન્ડની આ વીડિયો ક્લિપમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે રાહુલ ગાંધીએ હિન્દુઓને ચેતાવણી આપી છે. વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે રાહુલ ગાંધીએ હિન્દુઓને ધમકાવીને કહ્યું કે ભાજપની સરકારને હટાવ્યા બાદ સનાતનીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

દાવો કરવામાં આવેલી પોસ્ટને માત્ર એકસ પર જ નહીં ફેસબૂક પર પણ અનેક યૂઝર્સે શેર કરી છે. જોકે, આ દાવો સંપૂર્ણ રીતે ફેક સાબિત થયો છે. IAmBharatOne નામના એક્સ અકાઉન્ટથી રાહુલ ગાંધીની 23 સેકેન્ડની વીડિયો ક્લિપની ટ્વીટમાં કેપ્શનમાં લખાયેલું હતું- સાંભળો ખાન પૌત્રની હિન્દુઓને ચેતાવણી…ફેસબુક પર પણ આ જ જોવા મળ્યું હતું. એડવોકેટ સત્ય શુક્લા નામના એક યૂઝરે ફેસબુક પર રાહુલ ગાંધી સાથે જોડાયેલો 23 સેકેન્ડનો વીડિયો શેર કરીને દાવો કર્યો છે કે રાહુલ ગાંધી હિન્દુઓને ચેતાવણી આપી રહ્યા છે.
વાયરલ વિડીયો અંગેના સત્યનો જવાબ 29 માર્ચે કરેલી રાહુલ ગાંધીની ટ્વિટ પરથી મળ્યો હતો. ઇનકમ ટેક્સ વિભાગે કોંગ્રેસને 1700 કરોડ રૂપિયાની ડિમાન્ડ નોટિસ જાહેર કરી હતી. જેમાં દંડની સાથે વ્યાજની રકમ પણ સામેલ હતી. લોકસભા ચૂંટણી પહેલા જ રોકડ સંકટનો સામનો કરી રહેલી નોટિસનો તેઓ જવાબ આપી રહ્યા હતા.
29 સેકન્ડની વીડિયો ક્લિપમાં તેઓ કહે છે- જો આ સંસ્થાઓએ તેમનું કામ કર્યું હોત, જો CBIએ તેમનું કામ કર્યું હોત, EDએ તેમનું કામ કર્યું હોત તો આવું ન થાત. તેઓએ એ પણ વિચારવું જોઈએ કે તેઓ આ બધું જે કરી રહ્યા છે, કોઈને કોઈ દિવસ તો ભાજપની સરકાર બદલાશે અને પછી પગલાં લેવામાં આવશે અને એવી કાર્યવાહી કરવામાં આવશે કે હું ગેરંટી આપું છું કે આવું ફરી ક્યારેય નહીં થાય.
ટ્વિટમાં લખ્યું હતું- જ્યારે સરકાર બદલાશે તો લોકતંત્રનું ચીરહરણ કરનાર લોકો પર કાર્યવાહી ચોક્કસ થશે. અને આ કાર્યવાહી એવી રીતે થશે કે ફરી ક્યારેય આવું કરવાની કોઈની હિંમત નહીં થાય. આ મારી ગેરંટી છે.