Home News Update Nation Update રેલ અકસ્માત સર્જાય… લોકોના જીવ જાય… નેતાઓ રડે… સહાય જાહેર કરે…. તપાસ...

રેલ અકસ્માત સર્જાય… લોકોના જીવ જાય… નેતાઓ રડે… સહાય જાહેર કરે…. તપાસ સમિતિ રચાય અને… પછી… સુરસુરિયું…

0

Published by : Rana Kajal

  • કયા છે કેગના રિપોર્ટનો અમલ…

ઓડિશાની રેલ દુર્ઘટના સર્જાઈ 280 કરતા વધુ મુસાફરોના જીવ ગયા. મુસાફરોની સુરક્ષા એ અમારી પ્રાથમિક અને પહેલી જવાબદારી કહેનાર રેલવે તંત્ર સમિતીની રચના કરી હાલ બહુ મોટી કામગીરી કરી હોવાનો સંતોષ માની રહ્યુ છે ત્યારે જાણકારોના જણાવ્યા મુજબ જો રેલવે તંત્ર કેગના રિપોર્ટનુ પાલન કરે તો રેલ અકસ્માતની સંખ્યામા નોધપાત્ર ઘટાડો થઈ શકે છે…કેગનો રિપોર્ટ અંગે વાત કરીએ તે પહેલા કેગ એટલેકે કમ્પટ્રોલર ઍન્ડ ઓડિટર જનરલ ઑફ ઈન્ડિયા નો અમલ કરવામા આવે તો રેલવે અકસ્માતની સંખ્યા પર અંકુશ લાવી શકાય તેમ છે…ભાંગફોડિયા તત્વો…આ શબ્દનો પ્રયોગ લગભગ તમામ રેલવે અકસ્માતના બનાવ બાદ કરવામાં આવે છે…ભારતમાં તોફાનીઓ દ્વારા રેલવે પર પથ્થરમારો કરવો એ સામાન્ય બાબત છે. રેલવે ખુબ સોફ્ટ ટારગેટ તોફાનીઓ માટે બની ગયું છે ત્યારે આવા તોફાનીઓ ને પકડવા અને કડક કાર્યવાહી નહીં કરવામા આંવે તેમજ કેગ નો અમલ પણ નહી કરવામા આવે ત્યાં સુઘી ભારતમા રેલવેમાં મુસાફરી… સુરક્ષિત મુસાફરી કહી શકાય ખરી…?

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version