લખીમપુર ગીરીમાં ગત વર્ષે ઍક મોટી ભયાનક દુર્ઘટના બની હતી. જે ઘટનાની વિગત જાણી દેશમા હલચલ મચી ગઇ હતી. સાથે જ દુઃખની લાગણી પણ ફેલાઇ ગઇ હતી. લખીમ પૂર ખીરીમાં ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું હતું. ખુબ મોટી સંખ્યામાં ખેડુતો એકત્રીત થયા હતા. તેવામાં ઍક જીપ ખેડૂતોના ટોળાં પર ફરી વળતા ખેડૂતોમાં ભાગ દોડ અને અફરાતફરીનુ વાતાવરણ ફેલાઇ ગયું હતુ આવી ભાગ દોડમાં ચાર ખેડુતો અને પત્રકારના મોત નીપજ્યા હતા. પત્રકાર દલજીત કોરનુ કરુણ મોત તેના પૂત્ર રાજદીપ સામે થયું હતું. લખીમ પુર ખિરીની આ દર્દનાક ઘટનાને ઍક વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં હજી પણ લખીમ પુર ખીરિમાં રહેતા લોકો અને આ ધટના સાથે સંકળાયેલા લોકોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી સામે ગુસ્સાની લાગણી જણાઈ રહી છે.
લખીમપુર ખીરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી સામે રોષની લાગણી….
RELATED ARTICLES