Published by : Rana Kajal
- હિન્દુ બનીને લગ્ન કરનાર મોહમ્મદ આલમનું વિવાદાસ્પદ સ્ટેટસ….મેં જે પણ કર્યું, તેમાથી મને જન્નત મળે છે…..
લવ જેહાદના કિસ્સા દેશમાં વધી રહ્યાં છે ત્યારે નામ, ધર્મ અને જીવનની રીતરસમ બદલી છેતરપીંડી કરી કરાયેલ લવ જેહાદના કિસ્સાએ ચકચાર મચાવી દીધી છે…
લવ જેહાદના આ કિસ્સાની વિગત જોતા યુપીના બલિયામાં નર્સિંગની સ્ટુડન્ટ સાથે હિન્દુ બનીને લગ્ન કરનાર મોહમ્મદ આલમનું એક વિવાદીત નિવેદન સામે આવ્યું છે. તેમાં તેણે લખ્યું છે – “મેં જે કર્યું છે તેનાથી જન્નત પ્રાપ્ત થાય છે.”
જ્યારે પીડિતાએ જણાવ્યું છે કે વિવાદીત નિવેદન મોહમ્મદ આલમે બે દિવસ પહેલા જ પોસ્ટ કર્યું છે. તે પોતાના ફેસબુક આઈડી પર આ પ્રકારની પોસ્ટ કરતો જ રહે છે. તે અવારનવાર આ પ્રકારનું સ્ટેટસ પોસ્ટ કરે છે. જે તેની હિન્દુ વિરોધી માનસિકતા દર્શાવે છે.વિદ્યાર્થિનિએ હવે યોગી સરકારને સુરક્ષા અને ન્યાય માટે અપીલ કરી છે.
પીડિતાએ જણાવ્યું કે, 24 ફેબ્રુઆરી 2022ના રોજ કોર્ટ મેરેજ કર્યા હતા. લગ્ન કર્યા પછી ખબર પડી કે તે જેને અનુજ પ્રતાપ સિંહ સમજી રહી હતી તે મોહમ્મદ આલમ છે. જ્યારે રહસ્ય ખુલ્યું ત્યારે અત્યાચાર ગુજારવાનું શરૂ થયું. મારા પતિ મોહમ્મદ આલમના ભાઈઓએ પણ ડ્રગ્સના ઈન્જેક્શન આપીને મારી સાથે બળાત્કાર કર્યો હતો. તેમજ વિડિયો ક્લિપ બનાવી. મેં કેસ લખાવ્યો ત્યારે તેમણે ક્લિપ વાયરલ કરવાની ધમકી આપી હતી. દબાણમાં આવીને સમાધાન કર્યું, પછી ફાયરિંગ કરાવી દીધું. 2 ગોળી પીઠના ભાગે વાગી, કોઈક રીતે મારો જીવ બચી ગયો. જ્યારે જેમતેમ કરીને તેમની ચુંગાલમાંથી બહાર નીકળી તે એસિડ ફેંકવાની અને જાનથી મારી નાખવાની ખુલ્લેઆમ ધમકીઓ મળવા લાગી હતી. પીડિત વિદ્યાર્થિનિએ જણાવ્યું કે તેનો આખો પરિવાર લવ જેહાદી છે. તેના નાના ભાઈ શાહઆલમે પણ હિન્દુ વિદ્યાર્થિનિને ફસાવીને તેની સાથે લગ્ન કર્યા હતા. તેનું 2020માં શંકાસ્પદ સ્થિતિમાં મૃત્યુ થયું હતું. મોટો ભાઈ મોહમ્મદ અસલમ એક ખ્રિસ્તીની મિલકત હડપ કરવા માટે ખ્રિસ્તી બની ગયો હતો.
આ પછી, યુવતીનુ પણ શંકાસ્પદ સંજોગોમાં અકસ્માત થયુ હતું. તે પણ છ મહિના પછી મૃત્યુ પામ્યો. થોડા દિવસો પછી તે છોકરીની માતાનું પણ શંકાસ્પદ હાલતમાં મોત થયું હતું. હવે તેની કરોડોની સંપત્તિ મોહમ્મદ અસલમના કબજામાં છે. આમાં મોહમ્મદ આલમની માતા પણ મળેલી છે.