Published by : Rana Kajal
હાલના દિવસોમાં પ્રેમ.. લવ કરવો એ સામાન્ય બાબત બની ગઈ છે. પ્રેમ થયા બાદ લગ્ન થાય તો ઠીક અન્યથા લિવ ઈન રિલેશનમાં રહેવાની ઍક ફેશન થઈ ગઈ છે…કપડાં બદલવામાં આવે તેમ પ્રેમી બદલાય તે પણ સામાન્ય બાબત થઈ ગઇ છે. રિલેશન ક્ટ થાય અને બીજે રિલેશન બંધાય અથવાતો ઍક સાથે બન્ને જગ્યાએ પ્રેમનું નેટ વર્ક ચાલતુ હોય તેવું પણ બને છે… આવી પરિસ્થિતી માં લગ્ન નામની સંસ્થા તદ્દન ઓકસીજન પર આવી ગઇ છે… પ્રેમીની હત્યા કરવામા આવી તે ઘટનાઓ સામાન્ય થઈ ગઈ છે. પરંતું પ્રેમીની હત્યા કર્યાં બાદ પણ તેના શરીરના ટુકડા કરવા અને આવા ટુકડા ગમે ત્યા વગે કરવાં આ બાબત ક્રાઇમ ની દ્વષ્ટિએ ખુનન્સ સુચવે છે… જેના માટે એક વાર જીવ આપવા તૈયાર હતા તેના ટુકડા કરી દેવાયા હોય તેવા દિલ્હી મા સાક્ષી અને તેના પ્રેમી સાહિલ ની ધટના હોય કે મુંબઇ ની સરસ્વતી વૈદ્ય અને મનોજ સાને વચ્ચેની ધટના હોય કે પછી શ્રધ્ધા અને આફતાબની પ્રેમને લોહી લુહાણ કરતી ધટના હોય.. એમજ કહેવાય કે યહ આગ કબ બૂઝેગી…?