Wednesday, September 10, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeInternationalલોકગાયક અરવિંદ જોષીનુ થયું અવસાન…

લોકગાયક અરવિંદ જોષીનુ થયું અવસાન…

Published By : Parul Patel

જાણીતા લોકગાયક અરવિંદ જોશીનું નિધન થયું હોવાના સમાચાર આવતા ગુજરાતમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. લોકગાયક અરવિંદ જોશીએ 88 વર્ષની ઉંમરે અમેરીકામાં અંતિમ શ્વાસ લીધા.

મુળ સુરેન્દ્રનગરના વતની અને વરસોથી અમેરીકાના લોસ એન્જલસમાં સ્થાઈ થયેલા અરવિંદ જોશીએ ગુજરાતના લોકસંગીતને તેમજ લોકકલાના વારસાને સાત સમંદર પાર જીવંત રાખી હતી. લોકગાયક અરવિંદભાઈ મુગટલાલ જોશીનું અવસાન તા.6/9/2023 બુધવાર શિતળા સાતમની સાંજે 88 વરસની ઉંમરે નીપજ્યું હતુ. અરવિંદભાઈ છેલ્લા બે વરસથી બિમાર હતા. પરંતુ 85 વરસની ઉંમર સુધી એક યુવાનને પણ શરમાવે એવાં પહાડી અવાજથી ગીતો ગાઈ શકતા હતા. એમનાં કંઠે ઝવેરચંદ મેઘાણીની અમર રચના…મને લાગ્યો કસુંબીનો રંગ, સાંભળવી એ જીવતરનો લહાવો ગણાતો હતો. અમેરીકાના કેલિફોર્નિયા રાજયમાં કોઈપણ કાર્યક્રમમાં અરવિંદભાઈ જોષી અચૂક હાજર રહીને પોતાની કલા રજું કરતાં અને પોતાના વિશાળ જ્ઞાનનો પરીચય કરાવતા હતા. એ ગુજરાત તેમજ ભારતની લોકકળા, લોકસંગીત અને લોકસાહિત્યને જીવંત રાખવા અહીં Indian Culture Academy of Los Angeles નામની સંસ્થા સ્થાપીને સતત કાર્યરત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!