Published by : Rana Kajal
- આવનાર તા. 1લી મે થી જનમંચ કાર્યક્રમની શરૂઆત…
- ભરૂચ જિલ્લામાં પણ કોંગ્રેસ જનમંચનું આયોજન કરશે…
ભરૂચ જિલ્લામાં પણ કોંગ્રેસ જનમંચનું આયોજન કરશે…વર્ષ 2024માં યોજાનાર લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે પણ તૈયારી શરૂ કરી દીધી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કારમો પરાજય પ્રાપ્ત થયા બાદ હવે કોંગ્રેસે “જનમંચ” કાર્યક્ર્મ દ્વારા તા 1લી મે ગુજરાત સ્થાપના દિવસ થી લોકો વચ્ચે જવા અંગે અને લોકસભાની ચૂંટણી અંગે પ્રચાર શરૂ કરવાની યોજના બનાવી છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જનમંચ કાર્યક્રમની રૂપરેખા જણાવતા કહ્યું કે આ કાર્યક્રમમા કોંગ્રેસ લોકો વચ્ચે વિવિઘ બાબતો ની રજુઆત કરશે જેમકે ભાજપ દ્વારા કોંગ્રેસને વિધાનસભામાં પૂરતો સમય ન આપવાં બાબત, તેમજ વિધાનસભામાં બોલવા ન દેવા બાબત, ભાજપની હિટલર અને તાનાશાહી વગેરે બાબતે જનમંચ માં રજુઆત કરવામાં આવશે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના સૂત્રોના જણાવ્યા અનુસાર જિલ્લા મથકે તેમજ તાલુકા કક્ષાએ અને મોટા ગામોમાં જનમચ કાર્યક્રમ યોજવામાં આવશે.