વડાપ્રધાનના આગમનને લઈને સલામતી અને સુરક્ષા વ્યવસ્થા જળવાય રહે તે માટે તકેદારીના ભાગરૂપે જિલ્લાને ’’નો ડ્રોન એરિયા’’ જાહેર કરવામાં આવ્યો છે.આગામી તા. ૨૧ નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જંબુસર ખાતે જાહેર સભાને સંબોધન કરનાર છે.
આ કાર્યક્રમમાં વડાપ્રધાનની આંતરિક સલામતી અને સુરક્ષા વ્યવસ્થા તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે તકેદારીના ભાગરૂપે વિશેષ સાવચેતી રાખવાના ભાગરૂપે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન. આર. ધાંધલે સત્તાની રૂ એ તા. ૨૦ નવેમ્બર ૨૦૨૨ ના કલાક ૦૦:૦૦ થી તા.૨૧ નવેમ્બર ૨૦૨૨ના ૨૪:૦૦ કલાક સુધી ભરૂચ જિલ્લાને ’’નો ડ્રોન એરિયા’’ જાહેર કરવામાં આવ્યો છે.વધુમાં આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિને ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે એમ પણ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાં જણાવવામાં આવ્યું છે.