- કોઈ જાનહાનિ નહિ
- આગ લાગવાનું કારણ અકબંધ
વડોદરાના પાદરાના જાસપુર રોડ પર આવેલી ન્યુટ્રી બાયો સોલ્યુશન કંપનીમાં ભીષણ આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.
વડોદરાના પાદરાના જાસપુર રોડ પર આવેલી ન્યુટ્રી બાયો સોલ્યુશન કંપનીમાં ગતરોજ રાત્રિના સમયે એકાએક ભીષણ આગ ફાટી નીકળી હતી. એનિમલ ફીડ સપ્લીમેન્ટ બનાવતી કંપનીમા લાગેલી ભિષણ આગને પગલે લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી. દૂર દૂર સૌધી લોકોને આજ્ઞા દ્રશ્યો જોવા મલ્યા હતા. સ્થાનિકોએ પાદરા ફાયર વિભાગને જાણ કરી હતી.ફાયર ફાયટરની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી. જો કે ઘટનામાં કોઈને પણ જાનહાનિ ન થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. આગ ક્યાં કારણો સર આગ લાગી તેનું કારણ જાણી શકાયું નથી.