Published By : Disha PJB
છેલ્લા થોડા સમયમાં પ્રચલિત થયેલા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની ગયા છે. ત્યારે આજે તેઓ વડોદરા ખાતે એક મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપવા પહોંચ્યા હતા.
વડોદરા ખાતે આજવા રોડ ઉપર મહેન્દ્રપુરી બાલાજી મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આજરોજ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી પહોંચ્યા હતા. તેઓએ મંદિરના દર્શન કરી ત્યારબાદ લોકોને સંબોધિત કર્યા હતા.
સનાતન ધર્મનો ફેલાવો કરતા તેમણે જણાવ્યું હતું કે સનાતન ધર્મ એ હિન્દુઓ માટે ખૂબ અગત્યનું છે અને આગામી સમય માટે રામરાજ્ય લાવવા માટે સનાતન ધર્મનો વ્યાપક પ્રચાર પ્રસાર કરવો પડશે. વડોદરા શહેરના ભાજપાના પ્રમુખ ડૉ. વિજય શાહ સહિત મોટી સંખ્યામાં ભક્તોએ તેઓના પ્રવચનનો લાભ લીધો હતો.
ઇનપુટ : દિગ્વિજય પાઠક , વડોદરા.