Wednesday, September 10, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratવડોદરાના બેન્ક મેનેજર સાથે MBBS માં એડમિશનના નામે 30.70 લાખની ઠગાઈ...

વડોદરાના બેન્ક મેનેજર સાથે MBBS માં એડમિશનના નામે 30.70 લાખની ઠગાઈ…

Published by : Anu Shukla

ઓનલાઇન ઠગાઈ કરતી ટોળકી દ્વારા જુદી જુદી તરકીબો અજમાવીને ઠગાઈ કરવામાં આવતી હોવાના કિસ્સાઓ બની રહ્યા છે ત્યારે આ જ પ્રકારના વધુ એક બનાવવામાં વડોદરાના એક બેંક મેનેજરએ એમબીબીએસ માં એડમિશનના નામે 30.70 લાખ રૂપિયા ગુમાવ્યા હોવાનું બનાવ બનતા સાયબર સેલે ગુનો નથી તપાસ હાથ ધરી છે. આ બનાવમાં ઠગ ટોળકી બોગસ વેબસાઈટ બનાવીને બીજા પણ અનેક લોકોને ફસાવ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

બેંક મેનેજરને એમબીબીએસના એડમિશન માટે ઓફર મળી

વડોદરાની સયાજીગંજ બેન્ક ઓફ બરોડામાં મેનેજર તરીકે ફરજ બજાવતા લલિત કુમાર અદલખા (ફેધસૅ સ્કાયવીલા, સન ફાર્મા રોડ) પોલીસને કહ્યું છે કે ગઈ તા પહેલી નવેમ્બરે મને સરસ્વતી ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સ નોઈડાના નામે સોનાલીબેનનો ફોન આવ્યો હતો અને તેમની સંસ્થા એમબીબીએસમાં એડમિશન અપાવી રહી છે તેમ કહી વાત કરી હતી. આ પેટે તેમણે કુલ 68.28 લાખનું ફી પેકેજ પણ આપ્યું હતું.

ડાયરેક્ટરે કહ્યું બે વર્ષની ફી ભરી બીજા બે વર્ષ માફી મેળવો

સરસ્વતી ઇન્સ્ટિટયૂટની સોનાલીએ નેન્સી નામની ઉપરી અધિકારી સાથે વાત કરાવી હતી અને નેન્સીએ સંસ્થાના ડાયરેક્ટર રાજીવસિંગ ઉર્ફે વિજય પ્રતાપસિંગ સાથે વાત કરાવી હતી. રાજીવસિંગે એક વર્ષની ફી 15. 60 લાખ હોવાનું કહ્યું હતું. જેથી મેં ચેક મોકલતા તે ફાટેલો હોવાથી રિટર્ન થયો હતો. ત્યારબાદ રાજીવસિંગએ મને બે વર્ષની ફી એકસાથે ભરે તો બાકીના બે વર્ષની ફી નહીં ભરવી પડે તેવી સ્કીમ બતાવી હતી.

મેનેજમેન્ટ કોટાના નામે ઓફર કરી નોઈડા બોલાવ્યા

બેંક મેનેજરે પોલીસને કહ્યું છે કે, રાજીવ સિંઘે મને મેનેજમેન્ટ કોટામાં એડમિશન અપાવવાની ખાતરી આપી જેથી મેં વેબસાઈટ ચેક કરતા તેમાં ટ્રસ્ટના નામમાં થોડો ફેર જણાયો હતો. આ ઉપરાંત તેમણે આપેલી તારીખમાં એડમિશન નહીં મળતા મેં રૂબરૂમાં મળવાની વાત કરી હતી. જેથી તેમણે નોઈડામાં રૂબરૂ મળી જવા કહ્યું હતું. આ દરમિયાન રાજીવ સિંઘે મારો ચેક મંજૂર થઈ ગયો હોવાનું કન્ફમૅ પણ કર્યું હતું.

નોઈડાની ઓફિસને તાળા હતા મોબાઇલ બંધ થઈ ગયો

લલિત કુમારે પોલીસને કહ્યું છે કે, મને નોઈડામાં તા 30મી એ મળવાની તારીખ આપી હોઈ હું પહોંચ્યો ત્યારે રાજીવસિંગે એડમિશનની તારીખ બદલાઈ છે તેમ કહી તા.31મી મળવા માટે કહ્યું હતું. મેં તા.30મી એ સાંજે મળવાનો આગ્રહ રાખતા તેમણે મળવાની મંજૂરી આપી હતી. પરંતુ તે જ દિવસે સાંજે ફોન બંધ કરી દીધો હતો. જેથી હું બીજા દિવસે નોઈડાની ઓફિસે પહોંચ્યો તો ઓફિસ પણ બંધ હતી. જેથી મારી સાથે ઠગાઈ થઈ હોવાનું જણાઈ આવતા પોલીસ ફરિયાદ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!