Published By : Disha PJB
વડોદરાના PI હાલ સોશિયલ મીડિયા પર ભગવાન વિરુદ્ધ કરેલી અભદ્ર ટિપ્પણી ને કારણે ચર્ચાનો મુદ્દો બન્યા છે. 19 ફેબ્રુઆરીના રોજ તેમના દ્વારા પોસ્ટ મૂકવામાં આવી હતી જેમાં તેમણે નેતાઓ વિરુદ્ધ કટાક્ષ કરવા માટે ભગવાન માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો.
જેના કારણે પ્રજા દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો અને પ્રજાએ ઘણી કૉમેન્ટ કરી હતી. વાત અહીથી થોભતી નથી. આ અગાઉ પણ PI ડી સોલંકી 16 જાન્યુઆરી 2023ના રોજ ભગવાન રામ અને હનુમાન વિશે ટીખળ કરતી પોસ્ટ ફેસબુક ઉપર મૂકી હતી.
જે જોઈ નગરજનો રોષે ભરાયાં હતાં અને કૉમેન્ટ કરી ભાન ભૂલી ગયેલા PI ને ભાન અપાવ્યું હતું. છતાં એ જ ભૂલ ફરી દોહરાવતા PI એ મહિનાની અંદર બીજી પોસ્ટ કરીને લોકોની શ્રદ્ધા અને લાગણી ને દુભાવી છે.
વાત ઉપર સુધી પહોંચતા પુરાવા ના આધારે, હિન્દુ ધર્મ વિશે સોશીયલ મીડીયામાં વિવાદિત પોસ્ટ કરતાં અને નાગરિકોની લાગણી દુભાવવા તથા આસ્થાને ઠેસ પહોંચાડવાના ગુન્હામાં PI ડી સોલંકીને ડીજીપી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.