વડોદરાના બામણગામે મકાન ધરાશાયી થતા 1નું મોત નિપજ્યુ છે. જેસીબીની મદદથી મકાનનો કાટમાળ હટાવવાની તજવીજ હાથ ધરાઇ છે.
મળતી વિગતો અનુસાર વડોદરાના બામણગામે આજે બપોરે મકાન ધરાશાયી થવાની ઘટના બની હતી. મકાન ધરાશાયી થતાં કાટમાળ નીચે ૩ લોકો દટાઈ ગયાં હતા. જેની જાણ થતાં જ સ્થાનિક તંત્ર અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ કાટમાળમાં દટાયેલા ૩ વ્યક્તિમાંથી ૨ લોકોને જીવતા બહાર કાઢ્યાં હતા. ૧ નું ઘટના સ્થળે કરૂણ મોત લોકોના મોત નીપજયુ હતુ. ફાયર વિભાગની ટીમે રેસ્ક્યૂ કરીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતાં. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા બાદ મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે. જીતેન્દ્ર પટેલનું મકાન હતુ. મકાનના રિનોવેશન દરમિયાન આ ઘટના બની હતી.